હાર્દિક પંડ્યા હજી બોલિંગ માટે ફિટ નથી એટલે તેનો સમાવેશ પણ ચર્ચાનો વિષય છે. લિસ્ટમાં આઇપીએલમાં ૧૮ વિકેટ લેનાર યુઝવેન્દ્ર ચહલની ગેરહાજરી પર પણ ચર્ચા થાય છે.
વિરાટ કોહલી
૧૭ ઑક્ટોબરથી યુએઈ અને ઓમાનમાં યોજાનારા પુરુષોના ટી૨૦ વર્લ્ડ કપ માટેની ૧૫ ખેલાડીઓ તથા ૩ સ્ટૅન્ડ-બાય ખેલાડીઓની ટીમ ભારતે જાહેર કરી દીધી છે, પરંતુ જો ભારત એમાં કોઈ ફેરફાર કરવા માગતું હોય તો એની પાસે હજી ત્રણ દિવસ છે. ભારત સુપર-૧૨ સ્ટેજમાં છે અને એમાંના દેશોને ટીમમાં ફેરફાર કરવા ૧૫ ઑક્ટોબરની મધરાત સુધી છૂટ અપાઈ છે.
આઇપીએલના પ્લે-ઑફ રાઉન્ડમાં રમી રહેલી દિલ્હી કૅપિટલ્સની ટીમના શિખર ધવને આ આઇપીએલમાં (ગઈ કાલના મુકાબલા પહેલાંની મૅચોમાં) ૫૫૧ રન બનાવ્યા અને બૅટ્સમેનોની યાદીમાં ટૉપ-થ્રીમાં હોવા છતાં તેનું નામ વર્લ્ડ કપની ટીમ ઇન્ડિયામાં નથી જેની કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓએ સિલેક્ટરોની ટીકા કરી છે. હાર્દિક પંડ્યા હજી બોલિંગ માટે ફિટ નથી એટલે તેનો સમાવેશ પણ ચર્ચાનો વિષય છે. લિસ્ટમાં આઇપીએલમાં ૧૮ વિકેટ લેનાર યુઝવેન્દ્ર ચહલની ગેરહાજરી પર પણ ચર્ચા થાય છે.
ભારતીય ટીમ : વિરાટ કોહલી, રોહિત શર્મા, કે. એલ. રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિચન્દ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, રાહુલ ચાહર, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ શમી, અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહ.
સ્ટૅન્ડ-બાય ખેલાડીઓ : દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, શ્રેયસ ઐયર