ધોનીને પ્લે-ઑફ માટેની નજીવી તક વિશે પુછાતાં તેણે કહ્યું, ‘મને ગણિત ગમતું નથી. સ્કૂલમાં પણ મારું ગણિત સારું નહોતું.
મહેન્દ્ર સિંહ ધોની
ચેન્નઈના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ રવિવારે દિલ્હી પરના વિજય બાદ કહ્યું કે ‘આવી મોટા માર્જિનવાળી જીતથી ઘણો ફાયદો થાય. આવું પહેલાં બનવું જોઈતું હતું. હું પણ ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ લેવા માગતો હતો, પરંતુ આવી મૅચમાં તો પછીથી વિચાર આવે કે સારું થયું ટૉસ હારી ગયા. અમે ટૉસ હારીને પણ જીતી ગયા. શરૂઆતથી જ અમારા બૅટર્સ સારું રમ્યા.’
ધોનીને પ્લે-ઑફ માટેની નજીવી તક વિશે પુછાતાં તેણે કહ્યું, ‘મને ગણિત ગમતું નથી. સ્કૂલમાં પણ મારું ગણિત સારું નહોતું. નેટ રન-રેટની ચિંતા કરવાનો કોઈ મતલબ નથી. આઇપીએલને એન્જૉય કરતાં-કરતાં રમવું જોઈએ. અમે પ્લે-ઑફમાં પહોંચીશું તો બહુ ગમશે, પણ નહીં પહોંચીએ તો કાંઈ આભ નહીં તૂટી પડે.’