Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કપિલ દેવના મૃત્યુની અફવાથી ભડક્યો મદન લાલ

કપિલ દેવના મૃત્યુની અફવાથી ભડક્યો મદન લાલ

03 November, 2020 02:58 PM IST | New Delhi
Agencies

કપિલ દેવના મૃત્યુની અફવાથી ભડક્યો મદન લાલ

મદન લાલ

મદન લાલ


સોશ્યલ મીડિયામાં સેલિબ્રિટીઓનાં મૃત્યુના ખોટા સમાચાર વારંવાર જોવા-સાંભળવા મળે છે અને એ આગની જેમ ફેલાઈ જાય છે. ગઈ કાલે ભારતને પ્રથમ વાર વર્લ્ડ ચૅમ્પિયન બનાવનાર લેજન્ડ ક્રિકેટર કપિલ દેવ આનો શિકાર બન્યા હતા. ગયા અઠવાડિયે હાર્ટ-અટૅક આવ્યા બાદ કપિલ દેવને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. બે દિવસ બાદ સ્વસ્થ થઈ જતાં હૉસ્પિટલમાં ડિસ્ચાર્જ થઈને ઘરે પણ આવી ગયા હતા.

cricket



જોકે ગઈ કાલે સોશ્યલ મીડિયામાં તેમના અવસાનના સમાચાર ફેલાતાં ચાહકોને ભારે આંચકો લાગ્યો હતો અને અમુક લોકો તો તેમને શ્રદ્ધાંજલિ પણ આપવા માંડ્યા હતા. જોકે આ સમાચાર ખોટા હોવાનો ખુલાસો થતાં કરોડો ચાહકોએ રાહતનો શ્વાસ લીધો લીધો. કપિલ દેવ સાથે વર્ષો સુધી ક્રિકેટ રમનાર મદનલાલ આ અફવાથી ભારે નારાજ થયા હતા અને તેમણે ટ્વીટ કરીને બધું કુશલમંગલ હોવાનું જણાવ્યું હતું. મદદ લાલે ટ્વીટ કર્યું હતું કે સારા સાથીની મોતની અફવા એ બેજવાબદારભર્યું કૃત્ય છે. મારો દોસ્ત કપિલ દેવ બિલકુલ સ્વસ્થ છે અને ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2020 02:58 PM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK