કપિલ દેવના મૃત્યુની અફવાથી ભડક્યો મદન લાલ
મદન લાલ
સોશ્યલ મીડિયામાં સેલિબ્રિટીઓનાં મૃત્યુના ખોટા સમાચાર વારંવાર જોવા-સાંભળવા મળે છે અને એ આગની જેમ ફેલાઈ જાય છે. ગઈ કાલે ભારતને પ્રથમ વાર વર્લ્ડ ચૅમ્પિયન બનાવનાર લેજન્ડ ક્રિકેટર કપિલ દેવ આનો શિકાર બન્યા હતા. ગયા અઠવાડિયે હાર્ટ-અટૅક આવ્યા બાદ કપિલ દેવને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. બે દિવસ બાદ સ્વસ્થ થઈ જતાં હૉસ્પિટલમાં ડિસ્ચાર્જ થઈને ઘરે પણ આવી ગયા હતા.
ADVERTISEMENT
જોકે ગઈ કાલે સોશ્યલ મીડિયામાં તેમના અવસાનના સમાચાર ફેલાતાં ચાહકોને ભારે આંચકો લાગ્યો હતો અને અમુક લોકો તો તેમને શ્રદ્ધાંજલિ પણ આપવા માંડ્યા હતા. જોકે આ સમાચાર ખોટા હોવાનો ખુલાસો થતાં કરોડો ચાહકોએ રાહતનો શ્વાસ લીધો લીધો. કપિલ દેવ સાથે વર્ષો સુધી ક્રિકેટ રમનાર મદનલાલ આ અફવાથી ભારે નારાજ થયા હતા અને તેમણે ટ્વીટ કરીને બધું કુશલમંગલ હોવાનું જણાવ્યું હતું. મદદ લાલે ટ્વીટ કર્યું હતું કે સારા સાથીની મોતની અફવા એ બેજવાબદારભર્યું કૃત્ય છે. મારો દોસ્ત કપિલ દેવ બિલકુલ સ્વસ્થ છે અને ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે.