બે સ્પિનરોએ લીધેલી ૫૯ વિકેટ જ બતાવે છે કે સિરીઝ કેટલી કઠિન હતી
સિલ્વરવુડ
ભારત સામે ૩-૧થી ટેસ્ટ સિરીઝ હારી ગયા બાદ ઇંગ્લૅન્ડના કોચ ક્રિસ સિલ્વરવુડે કહ્યું કે રવિચંદ્રન અશ્વિન (૩૨) અને અક્ષર પટેલ (૨૭)એ મળીને લીધેલી કુલ ૫૯ વિકેટ જ સાબિત કરી આપતી હતી કે એ સિરીઝ અમારા બૅટ્સમેનો માટે કેટલી અઘરી હતી.
સિલ્વરવુડે કહ્યું કે ‘ચાર ટેસ્ટ મૅચમાં બે સ્પિનરો દ્વારા લેવામાં આવેલી ૫૯ વિકેટ જ બતાવી આપતી હતી કે એ કેટલી અઘરી વાત હતી. અમે ટેસ્ટના પહેલા દાવમાં સારા એવા રન બનાવવા માટે જાણીતા છીએ, પણ એ બાબતમાં તેમણે અમારા માટે કામ અઘરું બનાવી દીધું હતું. તેમણે પોતાની ઘરઆંગણાની પરિસ્થિતિમાં સારું પ્રદર્શન કર્યું હતું અને જીતનું શ્રેય તેમને જ જાય છે. પહેલી ટેસ્ટ હાર્યા બાદ તેમણે સારી રીતે કમબૅક કર્યું હતું.’