Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રણજી ટ્રોફીના ખેલાડીઓની ફીમાં BCCIએ કર્યો વધારો

રણજી ટ્રોફીના ખેલાડીઓની ફીમાં BCCIએ કર્યો વધારો

20 September, 2021 06:58 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગત સીઝન માટે ખેલાડીઓને ૫૦ ટકા વધારાની મેચ ફી આપશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) ઘરેલૂ ક્રિકેટરો માટે એક સારા સમાચાર આપ્યા છે. સોમવારે બીસીસીઆઈએ જાહેરાત કરી છે કે, કોરોના વાયરસને કારણે વર્ષ ૨૦૨૦-૨૧માં સીઝનમાં ફેરફાર કરતા અસરગ્રસ્ત થયેલા ઘરેલૂ ક્રિકેટરોને ૫૦ ટકા વધારાની મેચ ફી આપવામાં આવશે. એટલું જ નહીં આગામી સીઝનથી મેચ ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

કોરોના મહામારીને કારણે પ્રથમ વાર રણજી ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું નહોતું. એટલે ઘણા ભારતીય ક્રિકેટરો આર્થિક રિતે સંઘર્ષ કરી રહ્યાં હતા. આ ખેલાડીઓ બીસીસીઆઈના વળતર પેકેજની લાંબા સમયથી રાહ જોતા હતા.



બીસીસીઆઈના જનરલ સેક્રેટરી જય શાહે ટ્વિટમાં કહ્યું છે કે, ‘વર્ષ ૨૦૧૯-૨૦માં ડૉમેસ્ટિક સીઝનમાં ભાગ લેનાર ખેલાડીઓ વર્ષ ૨૦૨૦-૨૧માં કોરોનાને કારણે સીઝન રમી શક્યા નહોતા. એટલે તેમને વળતર તરીકે ૫૦ ટકા વધારાની મેચ ફી મળશે’.



આ જાહેરાતનો અર્થ છે કે, છેલ્લી સીઝનમાં ભાગ લેનાર અને મુશ્તાક અલી ટી-૨૦, વિજય હજારે ટ્રોફીમાં રમનાર તમામ ખેલાડીઓને રણજી ટ્રોફીની મેચ દીઠ ૭૦,૦૦૦ રુપિયા જે કુલ ફી ૧.૪૦ લાખ રુપિયાના અડધા છે તેટલું વળતર મળશે.

Whatsapp-channel Whatsapp-channel

20 September, 2021 06:58 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK