ગત સીઝન માટે ખેલાડીઓને ૫૦ ટકા વધારાની મેચ ફી આપશે
પ્રતીકાત્મક તસવીર
બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) ઘરેલૂ ક્રિકેટરો માટે એક સારા સમાચાર આપ્યા છે. સોમવારે બીસીસીઆઈએ જાહેરાત કરી છે કે, કોરોના વાયરસને કારણે વર્ષ ૨૦૨૦-૨૧માં સીઝનમાં ફેરફાર કરતા અસરગ્રસ્ત થયેલા ઘરેલૂ ક્રિકેટરોને ૫૦ ટકા વધારાની મેચ ફી આપવામાં આવશે. એટલું જ નહીં આગામી સીઝનથી મેચ ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
કોરોના મહામારીને કારણે પ્રથમ વાર રણજી ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું નહોતું. એટલે ઘણા ભારતીય ક્રિકેટરો આર્થિક રિતે સંઘર્ષ કરી રહ્યાં હતા. આ ખેલાડીઓ બીસીસીઆઈના વળતર પેકેજની લાંબા સમયથી રાહ જોતા હતા.
ADVERTISEMENT
બીસીસીઆઈના જનરલ સેક્રેટરી જય શાહે ટ્વિટમાં કહ્યું છે કે, ‘વર્ષ ૨૦૧૯-૨૦માં ડૉમેસ્ટિક સીઝનમાં ભાગ લેનાર ખેલાડીઓ વર્ષ ૨૦૨૦-૨૧માં કોરોનાને કારણે સીઝન રમી શક્યા નહોતા. એટલે તેમને વળતર તરીકે ૫૦ ટકા વધારાની મેચ ફી મળશે’.
Cricketers who participated in 2019-20 Domestic Season will get 50 per cent additional match fee as compensation for season 2020-21 lost due to COVID-19 situation #BCCIApexCouncil
— Jay Shah (@JayShah) September 20, 2021
આ જાહેરાતનો અર્થ છે કે, છેલ્લી સીઝનમાં ભાગ લેનાર અને મુશ્તાક અલી ટી-૨૦, વિજય હજારે ટ્રોફીમાં રમનાર તમામ ખેલાડીઓને રણજી ટ્રોફીની મેચ દીઠ ૭૦,૦૦૦ રુપિયા જે કુલ ફી ૧.૪૦ લાખ રુપિયાના અડધા છે તેટલું વળતર મળશે.