ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ડબ્લ્યૂટીલીની ફાઇનલ મેચ 18 જૂનથી સાઉથૈમ્પ્ટનના એજિસ બાઉલ સ્ટેડિયમમાં રમાડવામાં આવશે. પછી ટીમ ઇન્ડિયા મેઝબાન ઇંગ્લેન્ડની સાથે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમશે.
પ્રતીકાત્મક તસવીર
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ડબ્લ્યૂટીલીની ફાઇનલ મેચ 18 જૂનથી સાઉથૈમ્પ્ટનના એજિસ બાઉલ સ્ટેડિયમમાં રમાડવામાં આવશે. પછી ટીમ ઇન્ડિયા મેઝબાન ઇંગ્લેન્ડની સાથે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમશે.
આ પ્રવાસ માટે બીસીસીઆઇએ ફુલપ્રૂફ પ્લાન તૈયાર કર્યો છે. એએનઆઇએ સૂત્રોના હવાલે કહ્યું છે કે આ પ્રવાસ માટે રોડમેપ તૈયાર કરી લેવામાં આવ્યો છે. ભારતીય ખેલાડીઓને 19 મેના મુંબઇ પહોંચવાનું છે. મુંબઇ આવતા પહેલા ખેલાડીઓનું ત્રણ વાર આરટી પીસીઆર (RT-PCR tests)ટેસ્ટ થશે.
ADVERTISEMENT
એએનઆઇ પ્રમાણે, "ખેલાડીઓને ત્રણ આરટી પીસીઆર ટેસ્ટ તેમના ઘરે થશે. ટેસ્ટ રિપૉર્ટ નેગેટિવ આવ્યા પછી જ તે 19 મેના મુંબઇ માટે રવાના થશે. ઇંગ્લેન્ડ રવાના થતા પહેલા ખેલાડીઓને 14 દિવસ ભારતમાં જ ક્વૉરન્ટિન રહેવું પડશે. તેના પછી તે 2 જૂનના ઇંગ્લેન્ડ માટે રવાના થશે."
ઇંગ્લેન્ડ રવાના થતાં પહેલા લગભગ બધા ખેલાડીઓને કોરોના વેક્સીનનો પહેલો ડૉઝ ભારતમાં લાગી જશે. ત્યાર પછી બીજો ડૉઝ ઇંગ્લેન્ડમાં મૂકવામાં આવે તેવી આશા છે
જાડેજા અને હનુમા વિહારીનું થયું કમબૅક
ફિટનેસ ટેસ્ટમાંથી પાસ થઈ ચૂકેલા ખેલાડી રવિન્દ્ર જાડેજા અને બૅટ્સમેન હનુમા વિહારીએ આવતા મહિને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ફાઇનલ અને ઇંગ્લેન્ડ વિરુદ્ઘ પાંચ મેચની સીરિઝ માટે ભારતના 20 સભ્યો ટેસ્ટ ટીમમાં કમબૅક કર્યું છે. પસંદગીકર્તાઓએ અભિમન્યુ ઇશ્વરન, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન અને નગવાસવાલાને પણ સ્ટેન્ડબાય તરીકે ટીમમાં રાખવામાં આવ્યા છે.
ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદગી થયેલ ભારતીય ટીમ
રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કૅપ્ટન), આજિંક્ય રહાણે (વાઇસ-કૅપ્ટન), હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, કેએલ રાહુલ (ફિટનેસ ક્લીયરેન્સ પછી), ઋદ્ધિમાન સાહા (વિકેટ કીપર, ફિટનેસ ક્લીયરેન્સ પછી)
સ્ટેન્ડબાય ખેલાડી- અભિમન્યુ ઈશ્વરન, પ્રસિદ્ધ કૃષ્ણા, અવેશ ખાન, અર્જન નાગવાસવાલા