Published: 23rd December, 2020 16:15 IST | Keval Trivedi
આ તહેવાર ખાસ કરીને ઈસાઈ ધર્મના લોકો ઉજવે છે. જોકે આજના જમાનામાં લગભગ દરેક ધર્મના લોકો આ તહેવાર ઉજવતા જ હોય છે. બાળકોને ક્રિસમસ માટે ખૂબ જ ઉત્સાહ હોય છે કારણ કે બાળકોને એમ લાગતુ હોય છે કે રાતના સાંતા આવીને તેને ભેટ આપશે.
1/8
ઈસાઈઓ માટે ક્રિસમસનું ખૂબ જ મહત્વ છે. પ્રભુ ઈશુનો જન્મ દિવસે ક્રિસસમની ઉજવણી કરવામાં આવે છે. અમૂક દશકો પહેલા ફક્ત ભારતીયો જ ક્રિસમસની ઉજવણી કરતા હતા જોકે હવે ભારતમાં પણ આ તહેવારનો ખૂબ જ ક્રેઝ છે.
2/8
પ્રાચીન કથા અનુસાર ઈસાઈ ધર્મની સ્થાપના કરનારા યીશુનો જન્મ ક્રિસમસના દિવસે થયો હતો તેથી આખુ વિશ્વ ક્રિસમત-ડે સેલિબ્રેટ કરે છે. યીશુએ મરીયમને ત્યાં જન્મ લીધો હતો.
3/8
એવુ કહેવાય છે કે મરીયમને એક સ્વપ્ન આવ્યુ હતુ, જેમાં એક ભવિષ્યવાણી થઈ કે તેમને પ્રભુના પુત્ર યીશુને જન્મ આપવાનો છે.
4/8
થોડા સમય બાદ ભવિષ્યવાણી અનુસાર મરિયમ ગર્ભવતી થઈ હતી. ગર્ભાવસ્થા દરમ્યાન મરિયમને બેથલહમમાં જવુ પડ્યુ હતું. રાત હોવાથી તેમણે ત્યાં રોકાઈ જવાનુ વિચાર્યુ હતું. પરંતુ તેમને ત્યાં રહેવા માટે કોઈ વ્યવસ્થિત સ્થળ મળ્યુ નહીં.
5/8
થોડા સમય બાદ તેમને એક જગ્યા મળી, જ્યાં પશુપાલકો રહેતા હતા. મરિયમે ત્યાં જ રહેવાનો નિર્ણય લીધો અને બીજા દિવસે ત્યાં જ યીશુનો જન્મ થયો હતો.
6/8
આ તહેવારનો પ્રાચીન ઈતિહાસ છે. જાણકારોનુ માનવુ છે કે ક્રિસમસ શબ્દનું નિર્માણ ક્રાઈસ્ટ શબ્દથી થયુ છે. વિશ્વમાં પહેલી વખત ક્રિસમસ ખાસ તહેવાર રોમમાં 336માં ઉજવવામાં આવ્યો હતો.
7/8
ત્યારબાદ સંપૂર્ણ વિશ્વમાં આ તહેવારનો ક્રેઝ વધી ગયો હતો અને અન્ય ધર્મના લોકો પણ આ તહેવારને ધૂમધામથી ઉજવે છે.
8/8
ફોટોઝ વિશે
દર વર્ષે 25 ડિસેમ્બરે ક્રિસમસ ઉજવવામાં આવે છે. પરંતુ શું આ દિવસ પાછળનું મહત્વ અને ઈતિહાસ તમને ખબર છે? (તસવીરઃ જાગરણ, મિડ-ડે આર્કાઈવ્ઝ)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK