Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઍરપોર્ટ પર હવે સંસ્કૃત ભાષામાં અનાઉન્સમેન્ટ

વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઍરપોર્ટ પર હવે સંસ્કૃત ભાષામાં અનાઉન્સમેન્ટ

23 June, 2022 09:44 AM IST | Varanasi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કોવિડ-19ના પ્રોટોકોલની સમજ આપતી અનાઉન્સમેન્ટ સંસ્કૃત ભાષામાં કરવામાં આવે છે

ફાઇલ તસવીર

Offbeat

ફાઇલ તસવીર


આપણા દેશમાં ઍરપોર્ટ પર કોઈ પણ પ્રકારની જાહેરાત મોટા ભાગે હિન્દી અને અંગ્રેજીમાં કરવામાં આવતી હોય છે, પરંતુ શુક્રવારથી ઍરપોર્ટ પર અનાઉન્સમેન્ટની ત્રીજી ભાષા તરીકે સંસ્કૃતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઍરપોર્ટ ડિરેક્ટર આર્યમા સંન્યાલે જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષાને માન આપવા માટે ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા અને બનારસ હિન્દુ યુનિવર્સિટીના સહયોગથી સંસ્કૃતમાં અનાઉન્સમેન્ટની પહેલ કરવામાં આવી હતી. સંસ્કૃતમાં અનાઉન્સમેન્ટની વાઇરલ થયેલી ક્લિપ ટ્વિટર પર ધૂમ મચાવી રહી છે.



વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કોવિડ-19ના પ્રોટોકોલની સમજ આપતી અનાઉન્સમેન્ટ સંસ્કૃત ભાષામાં કરવામાં આવે છે. અનેક લોકોએ આ પહેલને વધાવી લીધી છે, તો વળી કેટલાકે આવા ગતકડાથી ભાષા પુનર્જીવિત ન થાય એવી ટીકા પણ કરી છે. કેટલાક લોકોએ વારાણસીની પ્રાદેશિક ભાષા ભોજપુરીમાં અનાઉન્સમેન્ટ કેમ નથી કરાતી એવો પ્રશ્ન પણ પૂછ્યો છે.  


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2022 09:44 AM IST | Varanasi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK