રિક્ષાચાલકે સંકલનભાઈને રિક્ષામાં બેસાડવાની સાથે કહ્યું કે તેઓ જીકે (જનરલ નૉલેજ)ના ૧૫ સવાલના સાચા જવાબ આપશે તો તે ફ્રીમાં સવારી કરાવશે, પણ સંકલનભાઈ બીજા જ જવાબમાં મહાત ખાઈ ગયા.
આ રિક્ષામાં મફતમાં બેસવું હોય તો તમારું જનરલ નૉલેજ સુધારો
સંકલન સરકાર નામના ફેસબુક-યુઝરે શૅર કરેલી પોસ્ટમાં એક એવા રિક્ષાચાલક વિશે લખ્યું છે જે લોકોને સામાન્ય જ્ઞાનના સવાલ પૂછે છે અને સાચા જવાબ આપનારને મફતમાં રિક્ષાસવારી કરાવે છે. બંગાળના હાવડાના સુરંજન કર્માકર નામના આ રિક્ષાચાલકે સંકલનભાઈને રિક્ષામાં બેસાડવાની સાથે કહ્યું કે તેઓ જીકે (જનરલ નૉલેજ)ના ૧૫ સવાલના સાચા જવાબ આપશે તો તે ફ્રીમાં સવારી કરાવશે, પણ સંકલનભાઈ બીજા જ જવાબમાં મહાત ખાઈ ગયા.