Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દેશભક્તિવાલા ખાના

દેશભક્તિવાલા ખાના

11 August, 2022 12:10 PM IST | Gorakhpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક રેસ્ટોરાંએ કેન્દ્રના આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીને અનુરૂપ વિશેષ તિરંગા મેનુ રજૂ કર્યું હતું

તિરંગા મેનુ Offbeat

તિરંગા મેનુ


ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક રેસ્ટોરાંએ કેન્દ્રના આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીને અનુરૂપ વિશેષ તિરંગા મેનુ રજૂ કર્યું હતું. આ વાનગીઓનો મૂળ હેતુ તિરંગાના રંગોને રજૂ કરવાનો તેમ જ લોકોને દેશભક્તિના રંગે રંગવાનો પ્રયાસ કરવાનો છે. ગ્રાહકો માટે જોવામાં સુંદર અને લોભામણી તેમ જ મનને લલચાવનારી આ ડિશ રજૂ કરનારી રેસ્ટોરાંના સંચાલક નીતીશ શુક્લાએ કહ્યું હતું કે આમ કરવા પાછળનો મુળ હેતુ કાંઈક હટકે કરવાનો હતો. 

નીતીશનું કહેવું છે કે તે આર્મી બૅકગ્રાઉન્ડમાંથી આવે છે, તેથી આ વર્ષે કંઈક અલગ કરવાનું વિચારીને અમારી વાનગીઓ ગ્રાહકો સમક્ષ આપણા તિરંગાના સ્પર્શ સાથે રજૂ કરવામાં આવી છે. આમ કરીને અમે આ વર્ષના આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણીમાં સહભાગી થઈ રહ્યા છીએ. ભારતની આઝાદીની પ્લૅટિનમ જ્યુબિલીની ઉજવણી કરવા માટે સરકારે ગયા મહિને ‘હર ઘર તિરંગા’ અભિયાનની જાહેરાત કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2022 12:10 PM IST | Gorakhpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK