Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અનોખો ઉત્સવ: એક લાખ પેન વિઘ્નહર્તા ગણેશનાં ચરણોમાં ધરાવીને વિદ્યાર્થીઓમાં વિતરણ

અનોખો ઉત્સવ: એક લાખ પેન વિઘ્નહર્તા ગણેશનાં ચરણોમાં ધરાવીને વિદ્યાર્થીઓમાં વિતરણ

Published : 05 February, 2025 01:21 PM | IST | Amaravati
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક પ્રેરણાદ્યોત અભિયાનરૂપે આંધ્ર પ્રદેશના કોનાસીમા ડિસ્ટ્રિક્ટમાં ગણપતિબાપ્પાના ઐનાવિલી મંદિરમાં વાર્ષિક એજ્યુકેશનલ ફેસ્ટિવલ એકદમ અલગ રીતે ઊજવાય છે.

એક લાખ પેન વિઘ્નહર્તા ગણેશનાં ચરણોમાં ધરાવીને વિદ્યાર્થીઓમાં વિતરણ

અજબગજબ

એક લાખ પેન વિઘ્નહર્તા ગણેશનાં ચરણોમાં ધરાવીને વિદ્યાર્થીઓમાં વિતરણ


એક પ્રેરણાદ્યોત અભિયાનરૂપે આંધ્ર પ્રદેશના કોનાસીમા ડિસ્ટ્રિક્ટમાં ગણપતિબાપ્પાના ઐનાવિલી મંદિરમાં વાર્ષિક એજ્યુકેશનલ ફેસ્ટિવલ એકદમ અલગ રીતે ઊજવાય છે. આ ફેસ્ટિવલમાં વસંત પંચમી ‍એટલે કે સરસ્વતી પૂજાના દિવસે મંદિરના પૂજારીએ ભગવાન વિઘ્નેશ્વરનાં ચરણોમાં ૧ લાખ પેન ધરાવીને વિશેષ પ્રાર્થના કરી હતી. વિદ્યાર્થીઓને આગળ વધવાની પ્રેરણા આપતો આ એજ્યુકેશનલ ફેસ્ટિવલ અને પૂજા દર વર્ષે ત્રણ દિવસ સુધી કરવામાં આવે છે. વિદ્યાની દેવી સરસ્વતીને વસંત પંચમીના દિને બાળકો અને તેમનાં માતાપિતા સાથે વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે અને પછી પ્રભુને ચરણે ધરાવેલી પેન વિદ્યાર્થીઓને વહેંચી દેવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2025 01:21 PM IST | Amaravati | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK