એક પ્રેરણાદ્યોત અભિયાનરૂપે આંધ્ર પ્રદેશના કોનાસીમા ડિસ્ટ્રિક્ટમાં ગણપતિબાપ્પાના ઐનાવિલી મંદિરમાં વાર્ષિક એજ્યુકેશનલ ફેસ્ટિવલ એકદમ અલગ રીતે ઊજવાય છે.
એક લાખ પેન વિઘ્નહર્તા ગણેશનાં ચરણોમાં ધરાવીને વિદ્યાર્થીઓમાં વિતરણ
એક પ્રેરણાદ્યોત અભિયાનરૂપે આંધ્ર પ્રદેશના કોનાસીમા ડિસ્ટ્રિક્ટમાં ગણપતિબાપ્પાના ઐનાવિલી મંદિરમાં વાર્ષિક એજ્યુકેશનલ ફેસ્ટિવલ એકદમ અલગ રીતે ઊજવાય છે. આ ફેસ્ટિવલમાં વસંત પંચમી એટલે કે સરસ્વતી પૂજાના દિવસે મંદિરના પૂજારીએ ભગવાન વિઘ્નેશ્વરનાં ચરણોમાં ૧ લાખ પેન ધરાવીને વિશેષ પ્રાર્થના કરી હતી. વિદ્યાર્થીઓને આગળ વધવાની પ્રેરણા આપતો આ એજ્યુકેશનલ ફેસ્ટિવલ અને પૂજા દર વર્ષે ત્રણ દિવસ સુધી કરવામાં આવે છે. વિદ્યાની દેવી સરસ્વતીને વસંત પંચમીના દિને બાળકો અને તેમનાં માતાપિતા સાથે વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે અને પછી પ્રભુને ચરણે ધરાવેલી પેન વિદ્યાર્થીઓને વહેંચી દેવામાં આવે છે.

