અહીં જુદા-જુદા દેશોનાં ચલણવાળા શણગારને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા
તસવીર : એ.એન.આઇ.
નવરાત્રિના તહેવાર દરમ્યાન વિશાખાપટ્ટનમમાં ગઈ કાલે ૧૩૫ વર્ષ જૂના દેવી વાસાવી કન્યકા પરમેશ્વરીના મંદિરમાં માતાજીની મૂર્તિને દાગીના તેમ જ વિદેશી તથા ભારતીય ચલણ મળીને ૮ કરોડ રૂપિયાના મૂલ્યની નોટોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. અહીં જુદા-જુદા દેશોનાં ચલણવાળા શણગારને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.