આજે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે વર્ષ ૨૦૨૩નું કેન્દ્રિય બજેટ રજુ કર્યું. આ બજેટ ‘અમૃત કાળ’નું પહેલું બજેટ છે. બજેટમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે. નાણાપ્રધાને તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, ભારતીય અર્થવ્યવસ્થા સાચા માર્ગ પર છે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહી છે."