શિવરાત્રિએ કાશીવિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ નહીં મળે
ફાઇલ ફોટો
મહાશિવરાત્રિએ આ વર્ષે શિવભક્તોને કાશીવિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. મહાશિવરાત્રિ ૧૧ માર્ચે છે. મંદિરમાં ભારે સંખ્યામાં ભક્તોની ભીડ થવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં શિવભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશ કરી સ્પર્શ દર્શનનો લાભ લેવા નહીં મળે. જોકે ગર્ભગૃહના ચાર દરવાજામાંથી તેઓ પ્રાર્થના કરવાનો લાભ મેળવી શકશે. કોવિડ-19 મહામારીના પ્રોટોકોલને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ડિવિઝનલ કમિશનર દીપક અગ્રવાલે જણાવ્યું હતું.