Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > World Environment Day: કેમિકલ ફ્રી થશે ખેતરો, નમામી ગંગેને મળશે નવી દિશા

World Environment Day: કેમિકલ ફ્રી થશે ખેતરો, નમામી ગંગેને મળશે નવી દિશા

05 June, 2022 05:35 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વડાપ્રધાન મોદી (Narendra Modi)એ દિલ્હીમાં વિશ્વ પર્યાવરણ દિવસ(World Environment Day) નિમિત્તે `સેવ સોઈલ મૂવમેન્ટ` કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

વડા પ્રધાન મોદી

Narendra Modi

વડા પ્રધાન મોદી


વડાપ્રધાન મોદી (Narendra Modi)એ દિલ્હીમાં વિશ્વ પર્યાવરણ દિવસ(World Environment Day) નિમિત્તે `સેવ સોઈલ મૂવમેન્ટ` કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન લોકોને સંબોધતા તેમણે કહ્યું, પર્યાવરણની સુરક્ષા માટે ભારતના પ્રયાસો બહુપક્ષીય રહ્યા છે. જળવાયુ પરિવર્તનમાં ભારતની ભૂમિકા નહિવત છે ત્યારે ભારત આ પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે વિશ્વના મોટા આધુનિક દેશો માત્ર પૃથ્વીના વધુને વધુ સંસાધનોનું શોષણ કરી રહ્યાં નથી, પરંતુ મહત્તમ કાર્બન ઉત્સર્જન તેમના ખાતામાં જાય છે.

PM એ કહ્યું કે, આ વર્ષના બજેટમાં અમે નક્કી કર્યું છે કે અમે ગંગા કિનારે વસેલા ગામડાઓમાં કુદરતી ખેતીને પ્રોત્સાહિત કરીશું, કુદરતી ખેતીનો વિશાળ કોરિડોર બનાવીશું. આનાથી આપણાં ખેતરો માત્ર કેમિકલ મુક્ત નહીં થાય, નમામિ ગંગે અભિયાનને પણ નવી તાકાત મળશે.



દેશના લોકોને જળ સંરક્ષણ સાથે જોડવામાં આવી રહ્યા છે - PM
વિજ્ઞાન ભવનમાં આયોજિત આ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, પહેલા આપણા દેશના ખેડૂતને તેની જમીન કઈ પ્રકારની છે, તેની જમીનમાં શું ઉણપ છે, કેટલી ઉણપ છે તેની માહિતીનો અભાવ હતો. આ સમસ્યાને દૂર કરવા માટે દેશમાં ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવા માટે એક વિશાળ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. અમે કેચ ધ રેઈન જેવા અભિયાનો દ્વારા દેશના લોકોને જળ સંરક્ષણ સાથે જોડી રહ્યા છીએ. આ વર્ષે માર્ચમાં જ દેશમાં 13 મોટી નદીઓના સંરક્ષણ માટે અભિયાન પણ શરૂ થયું છે. જેમાં પાણીમાં પ્રદૂષણ ઘટાડવાની સાથે નદીઓના કિનારે જંગલો વાવવાનું પણ કામ કરવામાં આવી રહ્યું છે.


આ પાંચ બાબતો પર ધ્યાન આપવું પડશે

પીએમે કહ્યું કે માટી બચાવવા માટે અમે પાંચ મુખ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પ્રથમ- જમીનને કેમિકલ મુક્ત કેવી રીતે બનાવવી. બીજું- જમીનમાં રહેતા જીવોને કેવી રીતે બચાવી શકાય, જેને ટેક્નિકલ ભાષામાં તમે સોઈલ ઓર્ગેનિક મેટર કહેવાય છે. ત્રીજું- જમીનમાં ભેજ કેવી રીતે જાળવી શકાય, ત્યાં સુધી પાણીની ઉપલબ્ધતા કેવી રીતે વધારવી. ચોથું, ઓછા ભૂગર્ભજળને કારણે જમીનને જે નુકસાન થઈ રહ્યું છે તેને કેવી રીતે દૂર કરવું અને પાંચમું, વન આવરણ ઘટવાને કારણે જમીનનું સતત ધોવાણ કેવી રીતે અટકાવવું.


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2022 05:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK