Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ડબ્લ્યુએચઓનો રિપોર્ટ અમને મંજૂર નથી

ડબ્લ્યુએચઓનો રિપોર્ટ અમને મંજૂર નથી

08 May, 2022 09:39 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જુદાં-જુદાં રાજ્યોના આરોગ્યપ્રધાનોએ ભારતમાં કોરોનાથી મૃત્યુ માટેના ડબ્લ્યુએચઓના અંદાજ સામે સખત વાંધો ઉઠાવ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ ભારતમાં કોરોનાના કારણે ૪૭ લાખ લોકોનાં મૃત્યુનો અંદાજ રજૂ કર્યાનો વિવાદ યથાવત્ છે. હવે સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ હેલ્થ ઍન્ડ ફૅમિલી વેલ્ફેરની ૧૪મી પરિષદમાં ભાગ લેનારા જુદાં-જુદાં રાજ્યોના આરોગ્યપ્રધાનોએ આ અંદાજ બદલ ડબ્લ્યુએચઓની ટીકા કરી હતી.

આ પરિષદમાં ભારતમાં કોરોનાથી મૃત્યુ માટેના ડબ્લ્યુએચઓના અંદાજ સામે સખત વાંધો ઉઠાવતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.



આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ હેલ્થ ઍન્ડ ફૅમિલી વેલ્ફેરની ત્રણ દિવસની પરિષદની ગુજરાતના કેવડિયામાં ગુરુવારથી શરૂઆત થઈ હતી. 


આ અંદાજ પર આવવા માટે ડબ્લ્યુએચઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી મૉડલિંગ મૅથડોલૉજી પાછળ કોઈ તર્ક નથી. અમે ભારતની નારાજગી ડબ્લ્યુએચઓ સમક્ષ વ્યક્ત કરવા માટે કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાને વિનંતી કરી છે. 
- કે. સુધાકર, કર્ણાટકના આરોગ્યપ્રધાન

ભારતની પાસે મજબૂત ડેટા કલેક્શન સિસ્ટમ છે અને એની ઑથેન્ટિસિટીના મામલે શંકા કરવાને કોઈ કારણ નથી. ડબ્લ્યુએચઓએ અપનાવેલી મૉડલિંગ મૅથડોલૉજી વૈજ્ઞાનિક નથી. 
- વિજય સિંગલા, પંજાબના આરોગ્યપ્રધાન


ડબ્લ્યુએચઓના આંકડા ખામીયુક્ત છે. આ પરિષદમાં તમામ આરોગ્યપ્રધાનોએ એના રિપોર્ટને ફગાવી દીધો છે. 
- વિશ્વાસ સારંગ, મધ્ય પ્રદેશના મેડિકલ એજ્યુકેશન પ્રધાન 

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2022 09:39 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK