ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ એમ. આર. શાહની બેન્ચે જણાવ્યું હતું કે ‘રોગચાળાના દિવસોમાં રસ્તા પર કોઈ ભિખારી દેખાવો ન જોઈએ એવો અમીરી કે સામંતવાદી અભિગમ અદાલત ન લઈ શકે.
સુપ્રીમ કૉર્ટ
કોરોના રોગચાળાના દિવસોમાં ભિખારીઓ અને રસ્તે રઝળતા લોકોના વૅક્સિનેશન તથા પુનર્વસનની માગણી કરતી અરજીના અનુસંધાનમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને નોટિસો મોકલીને આ લોકો વિશે શું પગલાં લેવામાં આવ્યાં છે એ વિશે તેમની પાસે જવાબો માગ્યા છે. ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ એમ. આર. શાહની બેન્ચે જણાવ્યું હતું કે ‘રોગચાળાના દિવસોમાં રસ્તા પર કોઈ ભિખારી દેખાવો ન જોઈએ એવો અમીરી કે સામંતવાદી અભિગમ અદાલત ન લઈ શકે. શિક્ષણ અને રોજગારીના અભાવે લોકો ભીખ માગતા હોય છે. તેમને પણ વૅક્સિનેશનની જરૂર પડે. તેથી ભિખારીઓ સહિત આશ્રય વગરના લોકોને કોરોનાની બીમારીના ચેપથી બચાવવા સરકારી તંત્રે પગલાં લેવાં જોઈએ.’