લાલ કિલ્લાની હિંસા બીજેપીનું ષડયંત્ર : કેજરીવાલનો આક્ષેપ
લાલ કિલ્લાની હિંસા બીજેપીનું ષડયંત્ર : કેજરીવાલનો આક્ષેપ
ત્રણ ફાર્મ લૉ વિરુદ્ધ દેશની રાજધાનીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને પોતાનો ટેકો જાહેર કરતાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગઈ કાલે આક્ષેપ મુકતાં કહ્યું હતું કે પ્રજાસત્તાક દિને ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમ્યાન લાલ કિલ્લા પર થયેલી હિંસા બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા રચાયેલું ષડયંત્ર હતું. બીજેપીએ લાલ કિલ્લાની હિંસાનું કાવતરું કર્યું હતું અને લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવનાર પક્ષનો કાર્યકર્તા હતો.