Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગેરકાયદે ઘૂસનારા ભારતીયો સામે ટ્રમ્પ બગડ્યા, 205 પ્રવાસીઓને લાવશે મિલિટ્રી પ્લેન

ગેરકાયદે ઘૂસનારા ભારતીયો સામે ટ્રમ્પ બગડ્યા, 205 પ્રવાસીઓને લાવશે મિલિટ્રી પ્લેન

Published : 04 February, 2025 03:02 PM | IST | New York
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રાષ્ટ્રપતિ પદના શપથ લીધા પછીથી ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અમેરિકામાં ગેરકાયદે રહેતા પ્રવાસીઓની વિરુદ્ધ છે અને તેમની વિરુદ્ધ કડક પગલાં લઈ રહ્યા છે. તેમની સરકાર સતત ગેરકાયદે પ્રવાસીઓની તપાસ કરી તેમને પાછા મોકલી રહી છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


રાષ્ટ્રપતિ પદના શપથ લીધા પછીથી ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અમેરિકામાં (America) ગેરકાયદે રહેતા પ્રવાસીઓની વિરુદ્ધ છે અને તેમની વિરુદ્ધ કડક પગલાં લઈ રહ્યા છે. તેમની સરકાર સતત ગેરકાયદે પ્રવાસીઓની તપાસ કરી તેમને પાછા મોકલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં ગેરકાયદે રહેતા 205 પ્રવાસીઓને અમેરિકન મિલિટ્રી પ્લેનથી ભારત લાવવામાં આવી રહ્યા છે.


સૂત્રોના હવાલે માહિતી મળી છે કે ગેરકાયદેસર ભારતીય પ્રવાસીઓને (indian Tourist) અમેરિકન C-147 પ્લેન ભારત (India) લાવી રહ્યું છે. અમેરિકાના સૈન એન્ટોનિયોથી સેનાનું આ પ્લેન લગભગ છ કલાક પહેલા ઉડાન ભરી ચૂક્યું છે. સૂત્રોનું કહેવું છે કે આ પ્લેનમાં 205 ગેરકાયદેસર ભારતીય પ્રવાસીઓ છે. આ બધાની ઓળખ કરીને પાછા લાવવામાં આવી રહ્યા છે.



અહેવાલ છે કે ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને જતું આ યુએસ એરફોર્સનું વિમાન અમૃતસરમાં (Amritsar) ઉતરી શકે છે. જોકે, હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. વિમાન જર્મનીમાં ઇંધણ ભરવા માટે થોડા સમય માટે રોકાઈ શકે છે.


તમને જણાવી દઈએ કે ટ્રમ્પ વહીવટીતંત્રે અગાઉ ગ્વાટેમાલા, પેરુ અને હોન્ડુરાસથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પણ તેમના દેશોમાં મોકલ્યા હતા. યુએસ સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોને પણ એલ પાસો, ટેક્સાસ અને સાન ડિએગો, કેલિફોર્નિયામાં અટકાયતમાં રાખેલા 5,000 થી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના દેશોમાં મોકલવાનું શરૂ કર્યું છે.

પ્યુ રિસર્ચ સેન્ટરના ડેટા અનુસાર, અમેરિકામાં લગભગ 7.25 લાખ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ રહે છે. આ આંકડો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ત્રીજી સૌથી મોટી સંખ્યા છે. મેક્સિકો પ્રથમ સ્થાને છે અને અલ સાલ્વાડોર બીજા સ્થાને છે.


ગયા મહિને, ભારત સરકારે કહ્યું હતું કે ભારત હંમેશા અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય નાગરિકોને પાછા લેવા માટે તૈયાર છે. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે ભારત તપાસ કરી રહ્યું છે કે અમેરિકામાં કેટલા ભારતીયો ગેરકાયદેસર રીતે રહે છે અને તેમને પાછા મોકલી શકાય છે કે નહીં.

યુએસ ઇતિહાસનો સૌથી મોટો દેશનિકાલ કાર્યક્રમ
ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) રાષ્ટ્રપતિ બનતાની સાથે જ તેમણે અમેરિકન ઇતિહાસનો સૌથી મોટો દેશનિકાલ કાર્યક્રમ શરૂ કર્યો. આ કાર્યક્રમ હેઠળ, ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના દેશમાં પાછા મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે. ગયા અઠવાડિયે, બ્લૂમબર્ગે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ભારત અને અમેરિકાએ લગભગ 18000 ભારતીયોની ઓળખ કરી છે જે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે.

ગયા અઠવાડિયે, યુએસ (US Secretory) સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishankar) સાથે વાત કરી હતી. તેઓ જયશંકરને મળ્યા હતા અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની સમસ્યાનો ઉકેલ લાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

04 February, 2025 03:02 PM IST | New York | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK