Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > શ્રીનગરમાં અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર, જવાન શહીદ

શ્રીનગરમાં અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર, જવાન શહીદ

06 February, 2020 08:30 PM IST | Mumbai Desk

શ્રીનગરમાં અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર, જવાન શહીદ

શ્રીનગર નજીક આતંકવાદીઓ સાથે ઍન્કાઉન્ટર બાદ શ્રીનગર-બારામુલા નૅશનલ હાઇવે પણ પડેલા લોહીના ધબ્બાને સાફ કરતા જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપ અને આર્મીના જવાનો. (તસવીર : પી.ટી.આઇ.)

શ્રીનગર નજીક આતંકવાદીઓ સાથે ઍન્કાઉન્ટર બાદ શ્રીનગર-બારામુલા નૅશનલ હાઇવે પણ પડેલા લોહીના ધબ્બાને સાફ કરતા જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપ અને આર્મીના જવાનો. (તસવીર : પી.ટી.આઇ.)


શ્રીનગરમાં લાવેપોરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. આ અથડામણમાં એક સીઆરપીએફનો જવાન શહીદ થયો હતો, જ્યારે ત્રણ આતંકવાદીઓને સુરક્ષાદળોએ મોતને ઘાટ ઉતાર્યા હતા.

સૈન્ય સૂત્રોનું માનીએ તો શ્રીનગરમાં નાકા પાર્ટી ચેકિંગ અભિયાન ચલાવી રહી હતી. આ દરમિયાન એક કારમાં ત્રણ આતંકવાદીઓએ ખુદને ફસાતા જોઈ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન એક સીઆરપીએફ જવાન શહીદ થઈ ગયો હતો. બીજી તરફ જવાબી કાર્યવાહીમાં ત્રણેય આતંકવાદીઓ માર્યા ગયા છે. હજી પણ એની ઑફિશ્યલ પુષ્ટિ થઈ નથી. કલમ-૩૭૦ હટાવવામાં આવ્યાના છ મહિના પૂરા થવા છતાં ઘાટીમાં બંધનો માહોલ છે.


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2020 08:30 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK