Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સ્વતંત્રતા દિવસ: 55 ASI સંરક્ષિત સ્મારકોમાં 15 ઑગસ્ટ સુધી મળશે મફત એન્ટ્રી

સ્વતંત્રતા દિવસ: 55 ASI સંરક્ષિત સ્મારકોમાં 15 ઑગસ્ટ સુધી મળશે મફત એન્ટ્રી

12 August, 2022 08:02 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પર્યટનને સુવિધાજનક બનાવવા અને સાંસ્કૃતિક જાગૃકતા વધારવા માટે, સંસ્કૃતિ મંત્રાલયે બધા નાગરિકોને 5 ઑગસ્ટથી 15 ઑગસ્ટ, 2022 સુધી બધા ટિકિટવાળા સ્મારકો અને ઐતિહાસિક સ્થળે મફત પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે.

પ્રતીકાત્મક તસવીર (ફાઇલ તસવીર)

પ્રતીકાત્મક તસવીર (ફાઇલ તસવીર)


ભારતની સ્વતંત્રતાના 75 વર્ષના ગૌરવશાળી અવસરે સંસ્કૃતિ મંત્રાલયના તત્વાવધાનમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે અનેક કાર્યક્રમોની યોજના બનાવી છે. પર્યટનને સુવિધાજનક બનાવવા અને સાંસ્કૃતિક જાગૃકતા વધારવા માટે, સંસ્કૃતિ મંત્રાલયે બધા નાગરિકોને 5 ઑગસ્ટથી 15 ઑગસ્ટ, 2022 સુધી બધા ટિકિટવાળા સ્મારકો અને ઐતિહાસિક સ્થળે મફત પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે.

બધા અગિયાર ઉપ-મંડળ ઑફિસમાં પ્રવેશ મફત
ઑગસ્ટથી સ્વચ્છતા અભિયાન માટે ASI મુંબઈ સર્કલમાં પણ બધા અગિયાર ઉપ-મંડળ ઑફિસ મુંબઈ, મુંબઈ ઉપનગર, વસઇ, એલિફેન્ટા, પુણે જુન્નાર, અલીબાગ, જંજીરા, કોલ્હાપુર, વિજયદુર્ગ અને શોલાપુરમાં સ્થિત હેઠળ પંચાવન કેન્દ્રીય સંરક્ષિત સ્મારકોની પસંદગી કરવામાં આવ્યું છે. સ્મારકો અને ઐતિહાસિક સંરચનાઓના સ્વચ્છતા અભિયાનમાં સ્થાનિક સ્કૂલ, કૉલેજ અને સામાન્ય લોકો સામેલ છે.



જલ ધરોહર મિશન હેઠળ, ASI પશ્ચિમી મહારાષ્ટ્રમાં 11 પ્રાચીન કેન્દ્રીય રીતે સંરક્ષિત જળ સંરચનાઓના જીર્ણોદ્ધાર અને પુનરુદ્ધારમાં સામેલ રહ્યા છે. આ મિશન હેઠલ, વિભિન્ન સંસ્થાઓના વિદ્યાર્થીઓએ પસંદગી કરેલ જળ નિકાય જેવા કે સોલાપુર કિલ્લા, બાવડી, કરાડમાં પંતચા કોટ, અંબરનાથ મંદિર થાણેમાં બાવડી, પાતાલેશ્વર ગુફાઓ પુણેમાં તળાવ, જળ સંરક્ષણ વિષય પર પ્રદર્શની માટે જળ સંરક્ષણ વિષય પર પોસ્ટર તૈયાર કરવામાં આવ્યા છે.


કૃષ્ણમાઈ મંદિર મહાબળેશ્વરના કુંડ, મંડપેશ્વર ગુફાઓના કુંડ, મુંબઈ, જયગઢ કિલ્લામાં બાવડી, જીજામાતા વાડામાં બાવડી, પછડ, તાલા કિલ્લામાં હૌજ, કન્હેરી ગુફાઓમાં કુંડ અને સાયન કિલ્લા, મુંબઈ ટેન્ક. આ જળ નિકાયોને એએસઆઇ દ્વારા સાફ અને સંરક્ષિત કરવામાં આવે છે. આગળ ઉપયોગ માટે આ બધા જળ નિકાયને પુનર્જીવિત કરવાની યોજના છે.

જળ ધરોહર મિશન અમૃત સરોવર-જળ ધરોહર સંરક્ષણ મિશનનો એક ભાગ છે, જે જળ સંરક્ષણ માટે જન જાગૃકતા પેદા કરવા માટે શહેરી વિકાસ મંત્રાલયના માધ્યમે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક વિશેષ અભિયાન છે.


આ અવસરને ચિન્હિત કરવા માટે હર-ઘર તિરંગા અભિયાન હેઠળ, એએસઆઇના બધા મહત્વપૂર્ણ સ્મારકો પર ઝંડો ફરકાવવાની યોજના બનાવવામાં આવી છે અને પાંચ સ્મારકો પર 15 મીટર ઉંચો ઝંડો મસ્તૂલ સ્થાપિત કરવામાં આવે છે જેમાં વિજયદુર્ગ કિલ્લો, સોલાપુર કિલ્લો, મંડપેશ્વર ગુફાઓ મુંબઈ, વસઈ કિલ્લો પાલઘર અને આગાખાન પેલેસ પુણે સામેલ છે.

Whatsapp-channel Whatsapp-channel

12 August, 2022 08:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK