Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાષ્ટ્રીય મહિલા આયોગે સોનિયા ગાંધીને પત્ર લખી પંજાબના CM ચન્નીને હટાવવાની માગ કરી

રાષ્ટ્રીય મહિલા આયોગે સોનિયા ગાંધીને પત્ર લખી પંજાબના CM ચન્નીને હટાવવાની માગ કરી

20 September, 2021 06:56 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શર્માએ દાવો કર્યો હતો કે ચન્નીએ 2018માં એક મહિલા આઈએએસ અધિકારીને અયોગ્ય ટેક્સ્ટ મેસેજ મોકલ્યા હતા અને 2018માં મીટૂ દરમિયાન આરોપ લાગ્યો હતો.

કોંગ્રેસના નેતા ચરણજીત સિંહ ચન્નીએ શપથગ્રહણ સમારોહ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તસવીર/પીટીઆઈ

કોંગ્રેસના નેતા ચરણજીત સિંહ ચન્નીએ શપથગ્રહણ સમારોહ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તસવીર/પીટીઆઈ


રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ના વડા રેખા શર્માએ સોમવારે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને વિનંતી કરી કે તેઓ પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને “જ્યાં સુધી તેઓ નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી” તેમના પદ પરથી દૂર કરે કારણ કે તેઓ મીટૂ આંદોલનના આરોપી છે.

શર્માએ દાવો કર્યો હતો કે ચન્નીએ 2018માં એક મહિલા આઈએએસ અધિકારીને અયોગ્ય ટેક્સ્ટ મેસેજ મોકલ્યા હતા અને 2018માં મીટૂ દરમિયાન આરોપ લાગ્યો હતો.



પોતાની નિરાશા વ્યક્ત કરતા શર્માએ ANIને આપેલા ઈન્ટરવ્યુમાં સોનિયા ગાંધીને વિનંતી કરી જ્યાં સુધી તેઓ નિર્દોષ સાબિત ન થઈ જાય ત્યાં સુધી તેમને પંજાબના મુખ્યમંત્રી પદ પરથી હટાવી દેવામાં આવે.


ચન્નીને મહિલાઓ માટે ખતરો ગણાવતા શર્માએ કહ્યું કે, "આજે તેમને એક પાર્ટી દ્વારા પંજાબના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે જેનું નેતૃત્વ મહિલા કરે છે. તે વિશ્વાસઘાત છે. તે મહિલા સુરક્ષા માટે ખતરો છે. તેની સામે તપાસ થવી જોઈએ. જો તે નિર્દોષ નથી, તો તે સીએમ બનવાને લાયક નથી. હું સોનિયા ગાંધીને વિનંતી કરું છું કે તેમને સીએમ પદ પરથી દૂર કરો.”

વધુમાં, તેણીએ ઉમેર્યું હતું કે, "વર્ષ 2018માં મીટૂ ચળવળ દરમિયાન તેમની (પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્ની) સામે આરોપો લગાવવામાં આવ્યા હતા. રાજ્ય મહિલા આયોગે આ મામલાની જાતે નોંધ લીધી હતી અને અધ્યક્ષ તેને હટાવવાની માંગણી સાથે ધરણા પર બેઠા હતા, પરંતુ કંઈ થયું ન હતું.”


“પોતે એક મહિલા હોવા છતાં, કોંગ્રેસના વડાએ ચન્ની પર લાગેલા મીટૂ આરોપોને ધ્યાનમાં લીધા ન હતા અને તેમને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા. પંજાબ રાજ્ય મહિલા આયોગે પણ આ ઘટનાની નોંધ લીધી હતી છતાં રાજ્ય સરકારે તેમની સામે કોઈ પગલાં લીધા ન હતા. આ શરમજનક અને અત્યંત વાંધાજનક છે કે આવી વ્યક્તિની પંજાબના સીએમ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અમે નથી ઈચ્છતા કે અન્ય મહિલા સમાન અનુભવમાંથી પસાર થાય અને તે જ સતામણી સહન કરે જે આઈએએસ અધિકારીએ ભોગવી હતી.”

ઉલ્લેખનીય છે કે ચરણજીત સિંહ ચન્નીએ આજે ​​પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ બનવારીલાલ પુરીહોટે કોંગ્રેસના નેતા સુખજિંદર એસ રંધાવા અને ઓપી સોનીને રાજ્ય મંત્રીમંડળમાં મંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

20 September, 2021 06:56 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK