Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સ્વતંત્રતા પછી ભારતના શ્રેષ્ઠ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે: અમિત શાહ

સ્વતંત્રતા પછી ભારતના શ્રેષ્ઠ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે: અમિત શાહ

27 October, 2021 07:53 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શાહે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબોને મોખરે રાખીને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ને `માનવ એંગલ` આપ્યો છે.

અમિત શાહ ( ફાઈલ ફોટો)

અમિત શાહ ( ફાઈલ ફોટો)


કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં તેમને આઝાદી પછીના સૌથી શ્રેષ્ઠ નેતા ગણાવ્યાં છે.  બુધવારે શાહે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબોને મોખરે રાખીને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ને `માનવ એંગલ` આપ્યો છે. રામભાઉ મ્હાલગી પ્રબોધિની દ્વારા આયોજિત `લોકશાહીનું વિતરણ: સરકારના વડા તરીકે નરેન્દ્ર મોદીના બે દાયકાની સમીક્ષા` વિષય પર એક પરિષદમાં પ્રવચન આપતા શાહે કહ્યું હતું કે જીડીપી વધવો જોઈએ પણ તેના લાભાર્થી ગરીબો અને જરૂરિયાતમંદો હોવા જોઈએ. આ સાથે જ એમ ઉમેર્યું હતું કે વડાપ્રધાનના સુધારા હંમેશા ગરીબોની જરૂરિયાતો પર આધારિત છે.

મોદીને આઝાદી પછીના સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન ગણાવતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, ગરીબો માટે ઘર અગાઉ પણ બનાવવામાં આવ્યા હતા, પરંતુ મોદીએ નીતિના માપદંડમાં ફેરફાર કર્યો છે.



શાહે ઉમેર્યું કે, "બે કરોડ લોકોને ઘર પણ આપવામાં આવ્યા છે અને હું તમને ખાતરી આપું છું કે 15 ઓગસ્ટ, 2022 સુધીમાં દરેક ગરીબને ઘર હશે." શૌચાલયોએ દેશભરમાં મહિલાઓનું સશક્તિકરણ કર્યું છે, અને દરેક ઘરમાં પાણી પૂરું પાડવાથી તમામ ભારતીયોના સ્વાસ્થ્યમાં વધુ સુધારો થશે તેમ તેમણે જણાવ્યું હતું.


મોદીના કૃષિ સુધારા તરફ ધ્યાન દોરતા શાહે કહ્યું કે અગાઉની સરકારોએ લોન માફીનો માર્ગ પસંદ કર્યો હતો પરંતુ મોદીજીના નેતૃત્વમાં ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા જમા કરવામાં આવે છે જે તેમના ઇનપુટ ખર્ચને ચૂકવવામાં મદદ કરે છે. કારણ કે 60 ટકા સીમાંત ખેડૂતો છે અને આ રકમ તેમના માટે પૂરતી છે. 

વડાપ્રધાન મોદી ગવર્નન્સ રિફોર્મ્સ લાવ્યા છે જે જમીની વાસ્તવિકતામાં પરિવર્તન લાવવા વિશે છે અને સુપરફિસિયલ એડમિનિસ્ટ્રેટિવ ફેરફારો વિશે નથી, એ તરફ ધ્યાન દોરતાં શાહે જણાવ્યું હતું કે પહેલીવાર મોદીના નેતૃત્વમાં એક અલગ સુરક્ષા નીતિ ઘડવામાં આવી હતી અને તેમણે સુરક્ષા નીતિને છાયાથી અલગ કરી હતી. 


2014 પછી, વડા પ્રધાને સંરક્ષણ દળોના લાભ માટે નોટબંધી, ટ્રિપલ તલાક નાબૂદી અને વન રેન્ક વન પેન્શન જેવા વિવિધ સાહસિક નિર્ણયો લીધા છે તેવું પણ શાહે ઉમેર્યું હતું. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર અંગે વાત કરતાં શાહે કહ્યું કે,  2019 પછી જ્યારે દેશના લોકોએ મોદીને બીજી ટર્મ માટે ચૂંટ્યા ત્યારે તેમણે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35-A નાબૂદ કરવાની જાહેરાત કરી.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું કે તેમના નેતૃત્વ અને નીતિ હેઠળ વિશ્વના 177 દેશોએ દર વર્ષે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.

શાહે ઉજ્જવલા યોજના, દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી, દેશભરના ગામડાઓમાં 100 ટકા વીજળીકરણ, સાત કરોડ લોકોને આયુષ્માન ભારત હેલ્થ કાર્ડનો ઉલ્લેખ કર્યો. ગૃહમંત્રીએ કહ્યું કે મોદીના નેતૃત્વમાં દેશ તાજેતરમાં 100 કરોડ રસીકરણના આંકને સ્પર્શી ગયો છે.

તમામ ક્ષેત્રોમાં નવા પડકારોને ધ્યાનમાં રાખીને વડા પ્રધાને એક અલગ ડ્રોન નીતિ, અવકાશ નીતિ લાવી અને કૃષિ માટે એક સંકલિત નીતિમાં લીલા, વાદળી અને સફેદ ક્રાંતિને મર્જ કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

27 October, 2021 07:53 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK