શ્રીનગરમાં ટેરર અટૅક: બે પોલીસ શહીદ
પ્રતીકાત્મક તસવીર
શ્રીનગરમાં એક આતંકવાદીએ ધોળા દહાડે બે નિઃશસ્ત્ર પોલીસકર્મીની હત્યા કરી હતી. ઘટના બની ત્યારે ઘણા લોકો ત્યાં મોજૂદ હતા અને સીસીટીવી કૅમેરામાં પણ એ કેદ થઈ હતી. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ શહેરસ્થિત એક રેસ્ટોરાંના માલિકના પુત્રની આ જ રીતે ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.
બન્ને પોલીસકર્મીઓ પર હુમલો થયો ત્યારે તેઓ હાઈ સિક્યૉરિટી ધરાવતા ઍરપોર્ટ રોડ પર બાગત ખાતે ડ્યુટી પર હતા.