૨૦૦૪ની સુનામીમાં ગુમ થયેલો દીકરો આવતા વષ્ોર્ મળી જશે એવી આશા રાખીને બેઠા છે એક પિતા
ભારતીય વાયુસેનાના એક ભૂતપૂર્વ અધિકારીનો એકમાત્ર પુત્ર ૨૦૦૪ની સુનામીમાં ગુમ થઈ ગયો હતો, પરંતુ એ અધિકારીને આશા છે કે જાન્યુઆરી ૨૦૧૬થી શરૂ થતા એક વર્ષમાં તેમને તેમનો પુત્ર પાછો મળશે. અધિકારીને આ આશા એક જ્યોતિષીએ બંધાવી છે.
ADVERTISEMENT
છેલ્લાં ૧૧ વર્ષથી એમ. વેન્કટરામન તેમના પુત્ર વી. અરવિંદને દેશભરમાં શોધી રહ્યા છે. વી. અરવિંદ ૨૦૦૪માં ૨૬ ડિસેમ્બરે કાર નિકોબાર ટાપુ પર આવેલી સુનામીમાં તેનાં મમ્મી-પપ્પાથી વિખૂટો પડી ગયો હતો.
ગઈ કાલે સુનામીની અગિયારમી વરસી નિમિત્તે એક મંદિરમાં જઈ રહેલા વેન્કટરામને કહ્યું હતું કે જ્યોતિષીઓએ ભવિષ્યવાણી કરી છે કે મારો પુત્ર ૨૦૧૬ની ૧૧ જાન્યુઆરીથી ૨૦૧૭ની ૧૧ જાન્યુઆરી વચ્ચે પાછો આવશે.
દર વર્ષે ૨૬ ડિસેમ્બરે વેન્કટરામન મંદિરે જઈને ભગવાનને પ્રાર્થના કરે છે કે મને મારા પુત્રને શોધવામાં મદદ કર. તેમનું કહેવું છે કે મેં મારા પુત્રને શોધવા માટે ૮ લાખથી વધુ રૂપિયા ખર્ચી નાખ્યા છે, પરંતુ હવે મારે મારી દીકરીનાં લગ્ન કરવા માટે નાણાં બચાવવાની જરૂર છે.
વેન્કટરામને આશા દર્શાવતાં કહ્યું હતું કે જ્યોતિષીઓના કહેવા મુજબ મારા પુત્રનું આયુષ્ય ૭૫ વર્ષ છે એથી મને વિશ્વાસ છે કે સુનામીમાં તે મૃત્યુ નથી પામ્યો.