Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૨૦૦૪ની સુનામીમાં ગુમ થયેલો દીકરો આવતા વષ્ોર્ મળી જશે એવી આશા રાખીને બેઠા છે એક પિતા

૨૦૦૪ની સુનામીમાં ગુમ થયેલો દીકરો આવતા વષ્ોર્ મળી જશે એવી આશા રાખીને બેઠા છે એક પિતા

27 December, 2015 05:06 AM IST |

૨૦૦૪ની સુનામીમાં ગુમ થયેલો દીકરો આવતા વષ્ોર્ મળી જશે એવી આશા રાખીને બેઠા છે એક પિતા

૨૦૦૪ની સુનામીમાં ગુમ થયેલો દીકરો આવતા વષ્ોર્ મળી જશે એવી આશા રાખીને બેઠા છે એક પિતા



ભારતીય વાયુસેનાના એક ભૂતપૂર્વ અધિકારીનો એકમાત્ર પુત્ર ૨૦૦૪ની સુનામીમાં ગુમ થઈ ગયો હતો, પરંતુ એ અધિકારીને આશા છે કે જાન્યુઆરી ૨૦૧૬થી શરૂ થતા એક વર્ષમાં તેમને તેમનો પુત્ર પાછો મળશે. અધિકારીને આ આશા એક જ્યોતિષીએ બંધાવી છે.



 છેલ્લાં ૧૧ વર્ષથી એમ. વેન્કટરામન તેમના પુત્ર વી. અરવિંદને દેશભરમાં શોધી રહ્યા છે.  વી. અરવિંદ ૨૦૦૪માં ૨૬ ડિસેમ્બરે કાર નિકોબાર ટાપુ પર આવેલી સુનામીમાં તેનાં મમ્મી-પપ્પાથી વિખૂટો પડી ગયો હતો.



ગઈ કાલે સુનામીની અગિયારમી વરસી નિમિત્તે એક મંદિરમાં જઈ રહેલા વેન્કટરામને કહ્યું હતું કે જ્યોતિષીઓએ ભવિષ્યવાણી કરી છે કે મારો પુત્ર ૨૦૧૬ની ૧૧ જાન્યુઆરીથી ૨૦૧૭ની ૧૧ જાન્યુઆરી વચ્ચે પાછો આવશે.


દર વર્ષે ૨૬ ડિસેમ્બરે વેન્કટરામન મંદિરે જઈને ભગવાનને પ્રાર્થના કરે છે કે મને મારા પુત્રને શોધવામાં મદદ કર. તેમનું કહેવું છે કે મેં મારા પુત્રને શોધવા માટે ૮ લાખથી વધુ રૂપિયા ખર્ચી નાખ્યા છે, પરંતુ હવે મારે મારી દીકરીનાં લગ્ન કરવા માટે નાણાં બચાવવાની જરૂર છે.

વેન્કટરામને આશા દર્શાવતાં કહ્યું હતું કે જ્યોતિષીઓના કહેવા મુજબ મારા પુત્રનું આયુષ્ય ૭૫ વર્ષ છે એથી મને વિશ્વાસ છે કે સુનામીમાં તે મૃત્યુ નથી પામ્યો.

Whatsapp-channel Whatsapp-channel

27 December, 2015 05:06 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK