Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પ્રમોશનમાં એસસી-એસટીના અનામત માટે માપદંડ નક્કી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

પ્રમોશનમાં એસસી-એસટીના અનામત માટે માપદંડ નક્કી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

29 January, 2022 09:50 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જસ્ટિસ નાગેશ્વર રાવની અધ્યક્ષતામાં ત્રણ જજની બેન્ચે જણાવ્યું હતું કે રાજ્યો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અપૂરતા પ્રતિનિધિત્વના સંબંધમાં ડેટા કલેક્ટ કરવા માટે બાધ્ય છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે પ્રમોશનમાં અનામત આપવા માટે ‘માપદંડ નિર્ધારિત’ કરવાની ગઈ કાલે ના પાડી દીધી હતી. જસ્ટિસ નાગેશ્વર રાવની અધ્યક્ષતામાં ત્રણ જજની બેન્ચે જણાવ્યું હતું કે રાજ્યો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અપૂરતા પ્રતિનિધિત્વના સંબંધમાં ડેટા કલેક્ટ કરવા માટે બાધ્ય છે. બેન્ચે જણાવ્યું હતું કે જરનૈલ સિંહ અને નાગરાજના કેસમાં બંધારણીય બેન્ચના નિર્ણય બાદ સુપ્રીમ કોર્ટ કોઈ નવો માપદંડ નક્કી ન કરી શકે. આ બેન્ચમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને બી. આર. ગવઈ પણ સામેલ હતા. 
અદાલતે જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અપૂરતા પ્રતિનિધિત્વના સંબંધમાં માહિતીનું કલેક્શન સમગ્ર સર્વિસ કે ક્લાસના સંબંધમાં ન હોવું જોઈએ, બલકે જે પોસ્ટ્સની ગ્રેડ કે કૅટેગરી માટે પ્રમોશન્સ માગવામાં આવ્યું હોય એના સંબંધમાં એ હોવું જોઈએ.  
પ્રમાણસર પ્રતિનિધિત્વની વાત છે તો અદાલતે જણાવ્યું હતું કે એ પાસું એણે જોયું નથી તેમ જ પ્રમોશનમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું અપૂરતું પ્રતિનિધિત્વ છે કે નહીં એ ચકાસવાનું કામ એણે રાજ્યો પર છોડ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

29 January, 2022 09:50 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK