બીજેપી પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કહ્યું કે આપ સરકારે જેલ નિયમો તોડ્યા છે અને સજાને બદલે સત્યેન્દ્ર જૈનને સંપૂર્ણ વીવીઆઇપી આનંદ આપવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી તરફથી પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે.
સત્યેન્દ્ર જૈન (ફાઇલ તસવીર)
દિલ્હીની (Delhi) તિહાડ જેલમાંથી (Tihar Jail) કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનનો (Central Minister Satyendra Jain) એક વીડિયો (Video) સામે આવ્યો છે, જેમાં તે મસાજ કરાવતા દેખાઈ રહ્યા છે. આને લઈને બીજેપી (BJP) આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) પર હુમલાવર થઈ ગઈ છે. બીજેપી પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કહ્યું કે આપ સરકારે જેલ નિયમો તોડ્યા છે અને સજાને બદલે સત્યેન્દ્ર જૈનને સંપૂર્ણ વીવીઆઇપી આનંદ આપવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી તરફથી પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે.
તિહાડ જેલના સીસીટીવી ફુટેજમાં સત્યેન્દ્ર જૈન બેડ પર લેટેલા જોવા મળી રહ્યા છે અને કોઈક દસ્તાવેજ જોઈ રહ્યા છે. આ દરમિયાન એક વ્યક્તિ તેમના પગમાં મસાજ કરે છે. સત્યેન્દ્ર જૈન પોતાના પગ તેમના પર રાખીને મસાજ કરાવી રહ્યા છે.
ADVERTISEMENT
વીડિયો સામે આવ્યા પછી બીજેપી હુમલાવર
આ વીડિયો સામે આવ્યા પછી બીજેપી કેજરીવાલ સરકાર પર હુમલાવર થઈ છે. બીજેપી પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ કહ્યું કે આપ સરકારને જેલ નિયમો તોડ્યા અને સજાને બદલે સત્યેન્દ્ર જૈનને સંપૂર્ણ વીવીઆઇપી આનંદ આપવામાં આવી રહ્યો છે. આની સાથે જ બીજેપી સાંસદે વીડિયો ટ્વીટ કરતા કહ્યું કે અરવિંદ કેજરીવાલનો હવાલો કારોબારી જેલ મંત્રી જેલમાં મસાજનો આનંદ લેતી વખતે. હવે તો પુરાવા પર્યાપ્ત થશે? શું ઠગ સુકેશ પાસેથી આની માટે જ વસૂલાત કરી હતી?
કન્નૌજથી બીજેપી સાંસદે ઉઠાવ્યો સવાલ
તો કન્નૌજથી બીજેપી સાંસદ સુબ્રત પાઠકે કહ્યું કે જેલમંત્રીની જેલની અંદરની ટ્રીટમેન્ટ સ્પષ્ટ જણાવે છે કે શું ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે કૉર્ટની ટિપ્પણી પછી પણ સત્યેન્દ્ર જૈન પ કોઈ કાર્યવાહી થઈ નથી. જેલ મંત્રીની જેલમાં ખાતિરદારીથી આમ આદમી પાર્ટીનો ચહેરો સામે આવ્યો છે. તેમણે કહ્યું કે તિહાડ જેલ દિલ્હી સરકારની અધીન છે, એવામાં સરકારનું સંપૂર્ણ સંરક્ષણ છે.
AAPનો આરોપ પર જવાબ
તો આને લઈને આમ આદમી પાર્ટી તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. AAPએ કહ્યું કે સત્યેન્દ્ર જૈનને એક્યૂપંક્ચર થેરેપી આપવામાં આવે છે. શારીરિક કૉમ્પ્લિકેશન્સને કારણે જેલમાં તેમને આ પ્રકારની સારવારના આદેશ કૉર્ટે આપ્યા હતા. ઑક્સિજનની મુશ્કેલીને કારણે સત્યેન્દ્ર જૈન અનેકવાર બાયપેપ્સ લગાડીને પણ સૂતા છે. દવાની સાથે-સાથે એક્યૂપંક્ચર થેરેપી પણ તેમની સારવારનો ભાગ છે. કારણકે જેલમાં જૈનની તબિયત ખરાબ થઈ જાય છે, આથી તેમને સારવાર આપવાનો આદેશ હતો.
ઇડીએ કૉર્ટમાં મૂક્યો હતો આરોપ
આ પહેલા સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મની લૉન્ડ્રિંગની તપાસ કરતી ઈડીએ કૉર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. ઈડીએ આરોપ મૂક્યો હતો કે સત્યેન્દ્ર જૈનને તિહાડ જેલમાં સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. ઈડીએ સત્યેન્દ્ર જૈન સંબંધિત બધો જ ડેટા ગૃહ મંત્રાલયને પણ આપ્યો હતો. ઈડીનો આરોપ છે કે સત્યેન્દ્ર જૈન તિહાડ જેલમાં રહીને જેલ અધિકારીઓ સાથે મળીને સુવિધાઓનો લાભ ઉઠાવી રહ્યા છે. ત્યાર બાદ ગૃહમંત્રાલયે દિલ્હી સરકારના ચીફ સેક્રેટરી પાસેથી પણ આ મામલે રિપૉર્ટ માગ્યો હતો.
ઇડીએ કૉર્ટને પુરાવા પણ સોંપ્યા હતા
ઇડીએ કૉર્ટને કરવામાં આવેલી ફરિયાદમાં કહ્યું હતું કે સત્યેન્દ્ર જૈન જેલના નિયમો તોડી રહ્યા છે. એટલું જ નહીં ઇડીએ સત્યેન્દ્ર જૈનના એશો-આરામની તમામ સીસીટીવી ફુટેજ પણ કૉર્ટને સોંપી હતી. EDએ પોતાની ફરિયાદ કરી હતી કે તિહાડ જેલમાં સત્યેન્દ્ર જૈનને હેડ મસાજ, ફુટ મસાજ અને બેક મસાજ જેવી તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે.
જેલ નંબર 7ના જેલર થયા હતા સસ્પેન્ડ
ત્યાર બાદ છેલ્લે 14 નવેમ્બરના જેલ નંબર 7ના 58 જેલ સ્ટાફની બદલી કરવામાં આવી હતી, આમાં 4 સીનિયર અધિકારી પણ સામેલ હતા. આમાં 2 ડિપ્ટી જેલર, 3 સહાયક જેલર, 7 હેડ વૉર્જર સહિત બધા વૉર્જરને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. આ સિવાય જેલ નંબર 7ના જેલ અધિક્ષક અજીત કુમારને પહેલા જ સસ્પેન્ડ કરવામાં આવી ચૂક્યા છે. જેલ નંબર 5ના અધિક્ષક અશોક રાવતને આ જેલની વધારાની જવાબદારી આપવામાં આવી હતી.
આ પણ વાંચો : યુવતીનું મર્ડર કર્યા બાદ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો
મની લૉન્ડ્રિંગ મામલે સત્યેન્દ્ર જૈનની કરાઈ ધરપકડ
નોંધનીય છે કે ઈડીએ મની લૉન્ડ્રિંગના આરોપમાં સત્યેન્દ્ર જૈનની 30 મેના ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા એપ્રિલ મહિનામાં ઇડીએ મની લૉન્ડ્રિંગ અટકાવવાના અધિનિયમ, 2002 હેઠળ સત્યેન્દ્ર જૈનના પરિવાર અને કંપનીઓની 4.81 કરોડ રૂપિયાની અચલ સંપત્તિઓ કુર્ક કરી હતી. જૈન પર કહેવાતા આરોપ છે કે તેમણે દિલ્હીમાં અનેક શેલ કંપનીઓ બનાવી અને કોલકાતાના ત્રણ હવાલા ઑપરેટરોની 54 શેલ કંપનીઓના માધ્યમે 16.39 કરોડના કાળા નાણાંને સફેદ પણ કર્યા.