Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પશ્ચિમ બંગાળ સરકાર શા માટે એક વ્યક્તિને બચાવવા માગે છે?

પશ્ચિમ બંગાળ સરકાર શા માટે એક વ્યક્તિને બચાવવા માગે છે?

Published : 09 July, 2024 12:30 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંદેશખાલી કેસમાં સુપ્રીમ કોર્ટનો સવાલ

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) સંદેશખાલી કેસના મુખ્ય આરોપી શાહજહાં શેખ અને તેના સાથીદારો સામે થયેલા જાતીય હુમલા અને જમીન પચાવી પાડવાના જે આરોપ મૂકવામાં આવ્યા છે એની તપાસ ચાલુ રાખશે, કારણ કે ગઈ કાલે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા કલકત્તા હાઈ કોર્ટના આદેશને પડકારતી અરજી ફગાવી દીધી હતી.


સુપ્રીમ કોર્ટના જ​સ્ટિસ બી. આર. ગવઈ અને જ​સ્ટિસ કે. વી. વિશ્વનાથનની બેન્ચે સવાલ કર્યો હતો કે રાજ્ય સરકાર શા માટે એક વ્યક્તિને બચાવવા માગે છે?



બંગાળ-પોલીસ સાથે સંઘર્ષ બાદ CBIએ ગયા ફેબ્રુઆરીમાં શાહજહાંની ધરપકડ કરી હતી અને બીજા દિવસે તૃણમૂલ કૉન્ગ્રેસે તેને પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. રૅશન કૌભાંડ સહિતના ૪૨ આરોપો સંદર્ભે કલકત્તા હાઈ કોર્ટે CBIને શાહજહાં શેખ અને તેના સાથીદારો સામે નિષ્પક્ષ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો અને આ આદેશને પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે અને CBIને તપાસ જારી રાખવા જણાવ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2024 12:30 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK