અત્યાર સુધીમાં ભારતીય રેલવેના ૧૯૫૨ કર્મચારીઓના કોરોનાથી મોત નીપજ્યાં છે અને આશરે ૧૦૦૦ જેટલા કર્મચારીઓ દૈનિક ધોરણે સંક્રમિત થઈ રહ્યા છે એમ એક સિનિયર અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
અત્યાર સુધીમાં ભારતીય રેલવેના ૧૯૫૨ કર્મચારીઓના કોરોનાથી મોત નીપજ્યાં છે અને આશરે ૧૦૦૦ જેટલા કર્મચારીઓ દૈનિક ધોરણે સંક્રમિત થઈ રહ્યા છે એમ એક સિનિયર અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.
રેલવે ૧૩ લાખ કર્મચારીઓ સાથે માત્ર દેશમાં જ નહીં બલકે વિશ્વના અગ્રેસર એમ્પ્લોયર્સ (નોકરીદાતા)માં સ્થાન ધરાવે છે. રેલવે બોર્ડના ચૅરમૅન સુનીત શર્માએ જણાવ્યું હતું કે ‘રેલવે અન્ય કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશથી અલગ નથી અને અમને પણ કોરોનાના કેસો મળે છે. અમે પરિવહનના વ્યવસાયમાં છીએ અને લોકો તથા સામાનનું વહન કરીએ છીએ. કોરોનાના આશરે ૧૦૦૦ કેસ રોજ નોંધાય છે.’