રાહુલ ગાંધી પહેલા કૉંગ્રેસ શાસિત રાજ્યોએ પણ કોરોના વેક્સીન પર જીએસટી વસૂલવાનો વિરોધ કર્યો હતો.
રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કોરોના વેક્સીન પર લાગૂ પાડવામાં આવેલા જીએસટીને લઈને નિશાનો સાધ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા લખ્યું છે કે જનતાના પ્રાણ જાએ પણ પીએમની ટેક્સ વસૂલી નહીં જાય. એકક દિવસ પહેલા જ રાહુલ ગાંધીએ લૉકડાઉનને લઈને સરકાર પર નિશાનો સાધ્યો હતો. રાહુલ ગાંધી પહેલા કૉંગ્રેસ શાસિત રાજ્યોએ પણ કોરોના વેક્સીન પર જીએસટી વસૂલવાનો વિરોધ કર્યો હતો.
जनता के प्राण जाएँ पर PM की टैक्स वसूली ना जाए!#GST
— Rahul Gandhi (@RahulGandhi) May 8, 2021
ADVERTISEMENT
કૉંગ્રેસના પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની `અસફળતા` અને કેન્દ્ર સરકારની `ઝીરો રણનીતિ`વે કારણે દેશ સંપૂર્ણ લૉકડાઉન તરફ વધી રહ્યો છે. તેમણે એ પણ કહ્યું કે પૂર્ણ લૉકડાઉનની સ્થિતિને જોતા ગરીબ લોકોને આર્થિક પેકેજ આપવાની જરૂર છે.
देशवासियों को बचाने के लिए ज़रूरी है:
— Rahul Gandhi (@RahulGandhi) May 7, 2021
⁃ बड़े स्तर पर वैक्सीन
⁃ सही आँकड़ों व नए कोरोना स्ट्रेन का विश्लेषण
⁃ कमज़ोर वर्गों को आर्थिक सहायता
दुर्भाग्य से, केंद्र सरकार साबित करती जा रही है कि ये उनसे ना हो पाएगा!
કૉંગ્રેસ નેતાએ ટ્વીટ કર્યું, ગયા વર્ષે અનિયોજિત લૉકડાઉન જનતા પર ઘાતક વાર હતો એટલે હું સંપૂર્ણ લૉકડાઉન વિરુદ્ધ છું. પણ વડાપ્રધાનની નિષ્ફળ તેમજ કેન્દ્ર સરકારની ઝીરો રણનીતિ દેશને સંપૂર્ણ લૉકડાઉન તરફ ધકેલી રહી છે. એવામાં ગરીબ જનતાને આર્થિક પેકેજ અને તરત દરેક પ્રકારની સહાયતા આપવી જરૂરી છે.