પંજાબના નવા મુખ્ય પ્રધાને પોતાની સુરક્ષા ઘટાડવાનો આદેશ આપ્યો
ચરણજિત સિંહ ચન્ની
ગયા સપ્તાહની શરૂઆતમાં અનેક રાઉન્ડની વાટાઘાટ બાદ કૅપ્ટન અમરિન્દર સિંહના રાજીનામા બાદ કૉન્ગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા ચરણજિત સિંહ ચન્નીને નવા મુખ્ય પ્રધાન માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ ઘટનાઓ ૨૦૨૨ પંજાબ વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલાં બની છે. ચન્નીએ ગુરુવારે તેમના સુરક્ષા કવચમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તેમને તેમના પોતાના ભાઈઓથી બચાવવા માટે સેના કે સુરક્ષાની જરૂર નથી.
ચન્નીએ કહ્યું છે કે મુખ્ય પ્રધાન બન્યા બાદ તેમને એવું લાગ્યું કે જાણે તેઓ જેલમાં છે. પોતાની સુરક્ષામાં લાગેલાં વાહનો અને સુરક્ષા કર્મચારીઓને જોતાં કહ્યું હતું.