વાસ્તવમાં આ ઑફર ફગાવી દેનારા તેઓ ત્રીજા વ્યક્તિ છે
ગોપાલકૃષ્ણ ગાંધી
પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીએ રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટેની વિપક્ષી નેતાઓની વિનંતીને ગઈ કાલે ફગાવી દીધી હતી. વાસ્તવમાં આ ઑફર ફગાવી દેનારા તેઓ ત્રીજા વ્યક્તિ છે. આ પહેલાં એનસીપીના સુપ્રીમો શરદ પવાર અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબદુલ્લાએ પણ આ ઑફરને નકારી કાઢી હતી. હવે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારને લઈને સર્વાનુમતિ સાધવા વિચારવિમર્શ કરવા મુખ્ય વિપક્ષી પાર્ટીઓની આજે મીટિંગ મળી શકે છે.