Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આ પહેલાં ત્રણ પૉલિટિકલ ફૅમિલીઝ જ જમ્મુ-કાશ્મીર પર રાજ કરતી હતી : અમિત શાહ

આ પહેલાં ત્રણ પૉલિટિકલ ફૅમિલીઝ જ જમ્મુ-કાશ્મીર પર રાજ કરતી હતી : અમિત શાહ

05 October, 2022 09:21 AM IST | Rajouri
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જમ્મુ-કાશ્મીરમાં વિપક્ષો પર વરસતાં તેમણે જણાવ્યું હતું કે...

રાજૌરી જિલ્લામાં ગઈ કાલે એક જાહેર રૅલીને સંબોધતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (તસવીર : પી.ટી.આઇ.)

રાજૌરી જિલ્લામાં ગઈ કાલે એક જાહેર રૅલીને સંબોધતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (તસવીર : પી.ટી.આઇ.)


કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે જાહેર કર્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં ગુજ્જર, બકેરવાલ અને પહારી સમુદાયોને જસ્ટિસ શર્મા પંચની ભલામણોને અનુરૂપ અનામતના લાભ મળશે.

જમ્મુ-કાશ્મીરમાં વિપક્ષો પર વરસતાં તેમણે જણાવ્યું હતું કે ‘આ પહેલાં માત્ર ત્રણ પૉલિટિકલ ફૅમિલીઝ જમ્મુ-કાશ્મીર પર રાજ કરતી હતી, પરંતુ હવે પાવર ૩૦,૦૦૦ લોકોની પાસે છે કે જેઓ નિષ્પક્ષ ચૂંટણીઓ દ્વારા પંચાયતો અને નગરપાલિકાઓમાં ચૂંટાઈ આવ્યા છે.’



તેમણે વધુ કહ્યું હતું કે ‘જમ્મુ-કાશ્મીરનો વિકાસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રાથમિકતા છે. આ પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા ખર્ચાતા તમામ રૂપિયાને કેટલાક લોકો દ્વારા પચાવી પાડવામાં આવતા હતા, પરંતુ હવે તમામ રૂપિયા લોકોના કલ્યાણ માટે ખર્ચાય છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2022 09:21 AM IST | Rajouri | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK