Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પીએમ નરેન્દ્ર મોદી પાસે અત્યારે કોઈ સ્થાવર મિલકત નથી

પીએમ નરેન્દ્ર મોદી પાસે અત્યારે કોઈ સ્થાવર મિલકત નથી

10 August, 2022 10:28 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પીએમઓની વેબસાઇટ પર નવા ડેક્લેરેશન અનુસાર તેમની જંગમ મિલકતમાં ૨૦૨૧-’૨૨ દરમ્યાન ૨૬.૧૩ લાખ રૂપિયાનો વધારો થયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી


નવી દિલ્હી ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જંગમ મિલકતમાં ૨૦૨૧-’૨૨ દરમ્યાન ૨૬.૧૩ લાખ રૂપિયાનો વધારો થયો છે. ગુજરાતમાં એક રેસિડેન્શિયલ પ્લૉટમાં તેમનો હિસ્સો દાનમાં આપ્યા બાદ તેમની પાસે કોઈ સ્થાવર મિલકત નથી. પીએમઓ (પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ)ની વેબસાઇટ પર તાજેતરમાં એક ડેક્લેરેશનમાં આ જાણકારી આપવામાં આવી હતી.
૨૦૨૨ની ૩૧ માર્ચ સુધીના સમયગાળાની વિગતો જાહેર કરવામાં આવી છે. એ મુજબ વડા પ્રધાનની જંગમ મિલકત માર્ચ ૨૦૨૧ના અંતે ૧,૯૭,૬૮,૮૮૫ રૂપિયા થઈ હતી, જે વધીને ૨,૨૩,૮૨,૫૦૪ રૂપિયા થઈ છે, જેમાં ફિક્સ્ડ ડિપોઝિટ, ઇન્શ્યૉરન્સ પૉલિસિસ, નૅશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ, બૅન્ક-બૅલૅન્સ, જ્વેલરી અને રોકડ સામેલ છે. 
વડા પ્રધાને સ્થાવર મિલકતની કોલમમાં ‘નિલ’ લખ્યું છે. નોંધપાત્ર છે કે વડા પ્રધાનનો સર્વે નંબર ૪૦૧/1, સેક્ટર-૧, ગાંધીનગરમાં એક રેસિડેન્શિયલ પ્લૉટમાં એક ચતુર્થાંશ હિસ્સો હતો. આ પ્લૉટ ૧૪,૧૨૫.૮૦ ચોરસ ફુટનો છે. મોદીએ આ પ્રૉપર્ટી ૨૦૦૨ની ૨૫ ઑક્ટોબરે અન્ય ત્રણ જણની સાથે મળીને ખરીદી હતી કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. ૨૦ વર્ષ પહેલાં એ પ્લૉટની કિંમત ૧,૩૦,૪૮૮ રૂપિયા હતી. જોકે વડા પ્રધાને એ હિસ્સો દાનમાં આપી દીધો છે.


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2022 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK