ગાંધીજયંતી નિમિત્તે ગઈ કાલે દેશના તમામ નેતાઓ અને સામાન્ય લોકોએ મહાત્મા ગાંધીને અંજલિ અર્પી હતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતાની સમાધિ ખાતે અંજલિ અર્પી હતી
ગાંધીજયંતી નિમિત્તે ગઈ કાલે દેશના તમામ નેતાઓ અને સામાન્ય લોકોએ મહાત્મા ગાંધીને અંજલિ અર્પી હતી અને તેમના આદર્શોને વંદન કર્યાં હતાં. કૉન્ગ્રેસની ભારત જોડો યાત્રા દરમ્યાન કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મૈસૂરના બદાનાવાલુ ગામમાં ખાદી ગ્રામોદ્યોગ ખાતે રાષ્ટ્રપિતાને અંજલિ અર્પી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતાની સમાધિ ખાતે અંજલિ અર્પી હતી.