Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કચરાના ઢગલેઢગલા કરી વિનાશને આવકારતા ચારધામના યાત્રાળુઓ

કચરાના ઢગલેઢગલા કરી વિનાશને આવકારતા ચારધામના યાત્રાળુઓ

23 May, 2022 09:52 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તરાખંડની ચારધામ યાત્રામાં આ વર્ષે નોંધપાત્ર સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટ્યા છે.

કેદારનાથ તરફ જતા રૂટ પર પ્લાસ્ટિક વેસ્ટ અને કચરાના ઢગલેઢગલા.  પી.ટી.આઇ.

કેદારનાથ તરફ જતા રૂટ પર પ્લાસ્ટિક વેસ્ટ અને કચરાના ઢગલેઢગલા. પી.ટી.આઇ.


કેદારનાથ ઃ ઉત્તરાખંડની ચારધામ યાત્રામાં આ વર્ષે નોંધપાત્ર સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટ્યા છે. જોકે આ શ્રદ્ધાળુઓમાં સ્વચ્છતાના અભાવના કારણે ત્યાં પર્યાવરણની સમસ્યા સર્જાઈ છે. તેઓ ગમે ત્યાં કચરો ફેંકતા હોવાના કારણે આ પવિત્ર ધામના રૂટ્સ પર કચરાના ઢગલેઢગલા જોવા મળી રહ્યા છે. નિષ્ણાતો અનુસાર આ રીતે કચરાના ઢગલા કરીને યાત્રાળુઓ વિનાશને આવકારી રહ્યા છે. 
ન્યુઝ એજન્સી એ.એન.આઇ. દ્વારા ટ્વીટ કરવામાં આવેલા ફોટોગ્રાફ્સમાં બરફથી ઢંકાયેલા પહાડોની પાસે વિશાળ જમીન પર અનેક ટેન્ટ્સ જોવા મળે છે. જોકે એ એરિયામાં પ્લાસ્ટિકની બૅગ અને બૉટલ્સ સહિત ખૂબ જ કચરાના કારણે ખૂબ જ ગંદકી પણ જોવા મળે છે. આ ફોટોગ્રાફ્સની સાથે કૅપ્શન લખવામાં આવી હતી કે ‘મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રામાં આવી રહ્યા છે ત્યારે કેદારનાથ તરફ જતા રૂટ પર પ્લાસ્ટિક વેસ્ટ અને કચરાના ઢગલેઢગલા.’


Whatsapp-channel Whatsapp-channel

23 May, 2022 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK