ફારુક અબ્દુલ્લાએ કોવિડ-19ની રસીનો પ્રથમ ડોઝ લીધાનાં સપ્તાહો બાદ તેમની કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવી હતી, જેને પગલે તેમને દિલ્હીની એઇમ્સમાં ખસેડવામાં આવ્યા હતા.
શ્રીનગરની હૉસ્પિટલમાં રસી મુકાવતા ઓમર અબદુલ્લા. પી.ટી.આઇ.
નૅશનલ કૉન્ફરન્સ (એનસી)ના નેતા ઓમર અબદુલ્લાએ બુધવારે શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એસકેઆઇએમએસ) ખાતે કોવિડ-19ની રસીનો પહેલો ડોઝ લીધો હતો. અગાઉ જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નૅશનલ કૉન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ કોવિડ-19ની રસીનો પ્રથમ ડોઝ લીધાનાં સપ્તાહો બાદ તેમની કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવી હતી, જેને પગલે તેમને દિલ્હીની એઇમ્સમાં ખસેડવામાં આવ્યા હતા.