Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હવે ઑફિસમાં પણ મુકાવી શકશો કોરોનાની રસી

હવે ઑફિસમાં પણ મુકાવી શકશો કોરોનાની રસી

08 April, 2021 11:43 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૧ એપ્રિલથી દેશમાં તમામ ઑફિસોમાં ૪૫-પ્લસ કર્મચારીઓ માટે વૅક્સિનેશન

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કેન્દ્ર સરકારે તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણની પ્રક્રિયામાં વેગ લાવવાની સૂચના આપતો પત્ર લખ્યો છે અને એ સાથે એવું પણ લખ્યું છે કે પ્રાઇવેટ હોય કે સરકારી, તમામ પ્રકારની ઑફિસોમાં રવિવાર, ૧૧ એપ્રિલથી વૅક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરી દો. જોકે એ સંબંધમાં સરકારે કહ્યું છે કે હમણાં તો તમામ ઑફિસોમાં ૪૫ વર્ષથી વધુ વયના હોય એવા જ સ્ટાફ-મેમ્બરોને રસી મૂકવી.
એ જોતાં હવે દેશમાં રસીકરણની પ્રક્રિયામાં વધુ તેજી આવવાની પાકી સંભાવના છે. સરકારના આ આદેશથી એવી કંપનીઓને પણ ફાયદો થશે જેમણે પોતાના કર્મચારીઓને મફત રસી માટેની બાંયધરી આપી હતી. હવે ૧૧ એપ્રિલથી તમામ ઑફિસોમાં વૅક્સિનેશનની પ્રક્રિયા જોરશોરથી ચાલશે. આ નૂતન પ્રક્રિયાથી ઑફિસના સ્ટાફ-મેમ્બરોએ રસી મુકાવવા બહાર ક્યાંય જવું નહીં પડે, જેને કારણે તેમને કોરોનાનો ચેપ લાગવાનો તેમ જ વાઇરસ ફેલાવાનો ડર ઘટી જશે.
કેન્દ્ર સરકાર કેમેય કરીને કોરોનાની બીજી લહેરને વહેલાસર ડામી દેવા માગે છે અને એ દિશામાં ઑફિસોમાં રસીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2021 11:43 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK