પાસપોર્ટની અરજી ફગાવાતાં મેહબૂબા મુફ્તી ક્રોધિત
News in Short : પાસપોર્ટની અરજી ફગાવાતાં મેહબૂબા મુફ્તી ક્રોધિત, 5 નક્સલવાદી ઠાર
જમ્મુ-કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીએ પાસપોર્ટ માટે કરેલી અરજી પોલીસ વેરિફિકેશનના વિપરીત રિપોર્ટના આધારે રીજનલ પાસપોર્ટ ઑફિસ દ્વારા નામંજૂર કરી દેવાઈ છે. અરજી નામંજૂર થવા પર ટિપ્પણી કરતાં પીડીપીનાં પ્રમુખે જણાવ્યું હતું કે પાસપોર્ટ ઑફિસે આમ કરવું ભારતની સુરક્ષા માટે જોખમી હોવાનું જણાવ્યું છે.
પાંચ નક્સલવાદી ઠાર
ADVERTISEMENT
મહારાષ્ટ્રના ગડચિરોલીમાં અંતરિયાળ ભાગનાં જંગલોમાં સલામતી દળોની બે સ્થળની કાર્યવાહીમાં કુલ પાંચ માઓવાદી નક્સલવાદીઓ ઠાર મરાયા હતા, જેમાં બે મહિલાનો પણ સમાવેશ હતો. આ જાણકારી અધિકારીઓએ સોમવારે આપી હતી.
તમામ પાંચેપાંચ નક્સલવાદીઓના માથે કુલ મળીને ૪૩ લાખ રૂપિયાનું ઇનામ હતું. તેઓ ઘણા ગંભીર ગુનામાં સંડોવાયેલા હતા.