Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારત માટે રાહતના સમાચાર : બીજી લહેરનાં હવે વળતાં પાણી

ભારત માટે રાહતના સમાચાર : બીજી લહેરનાં હવે વળતાં પાણી

13 May, 2021 02:04 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે હજી જોખમ છે એટલે જનતાએ કોવિડના નિયમોનું પાલન કરવું જ પડશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોના વાઇરસની બીજી લહેર સામે ઝઝૂમી રહેલા ભારત માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. સતત ચાર દિવસ સુધી ભારતમાં કોરોનાના ચાર લાખ કરતાં વધુ નવા કેસો નોંધાયા બાદ હવે છેલ્લા બે દિવસથી કેસોમાં ઘટાડો નોંધાયો છે. એના આધારે નિષ્ણાતો કહી રહ્યા છે કે દેશમાં કોરોનાની બીજી લહેરનાં હવે વળતાં પાણી શરૂ થયાં છે. સફદરજંગ હૉસ્પિટલના કમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટના પ્રમુખ ડૉક્ટર જુગલ કુશરના જણાવ્યા પ્રમાણે દેશમાં બીજી લહેરની ચરમસીમા હવે ખતમ થઈ ચૂકી છે. તેમના જણાવ્યા પ્રમાણે હવે કેસો ધીમે-ધીમે પણ સતત ઘટતા જશે. જોકે તેમણે એ પણ કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે બીજી લહેરની ચરમસીમા ખતમ થઈ ગઈ હોવા છતાં રાજ્ય સ્તરે એ હજી પણ સંપૂર્ણપણે પૂરી થઈ નથી. કેટલાંક રાજ્યોમાં બીજી લહેરની પરાકાષ્ઠા આવી ચૂકી છે તો કેટલાંક રાજ્યોમાં હજી પણ એ આવી નથી. આથી જોખમ હજી ટળ્યું નથી.


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2021 02:04 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK