ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને રાષ્ટ્રીય લોક દળ (આરએલડી)ના વડા અજિત સિંહનું ગઈ કાલે કોરોના વાઇરસના સંક્રમણને કારણે મૃત્યુ થયું હતું.
અજિત સિંહ
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને રાષ્ટ્રીય લોક દળ (આરએલડી)ના વડા અજિત સિંહનું ગઈ કાલે કોરોના વાઇરસના સંક્રમણને કારણે મૃત્યુ થયું હતું. ૮૨ વર્ષના અજિત સિંહ કોરોના વાઇરસ પૉઝિટિવ જાહેર થયા બાદ ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહના પુત્ર અજિત સિંહે અનેક સરકારમાં કેન્દ્રીય પ્રધાન તરીકે સેવા આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કૉન્ગ્રેસ ચીફ રાહુલ ગાંધી અને બીજેપી ચીફ રાહુલ નડ્ડાએ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનના મૃત્યુ પર દિલગીરી વ્યક્ત કરી હતી.