Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બીજી લહેર સામે સરકાર યુદ્ધના ધોરણે કામ કરી રહી છે : મોદી

બીજી લહેર સામે સરકાર યુદ્ધના ધોરણે કામ કરી રહી છે : મોદી

15 May, 2021 01:50 PM IST | New Delhi
Agency

દેશ એક અદૃશ્ય શત્રુ સામે લડી રહ્યો છે એમ જણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કોરેના વાઇરસ સામેની લડતમાં વિજયનો વિશ્વાસ અપાવતાં જણાવ્યું હતું કે દેશ કોવિડ-19ની બીજી લહેર સામે યુદ્ધના ધોરણે લડી રહ્યો છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


દેશ એક અદૃશ્ય શત્રુ સામે લડી રહ્યો છે એમ જણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કોરેના વાઇરસ સામેની લડતમાં વિજયનો વિશ્વાસ અપાવતાં જણાવ્યું હતું કે દેશ કોવિડ-19ની બીજી લહેર સામે યુદ્ધના ધોરણે લડી રહ્યો છે.

પીએમ-કિસાન યોજના પર વિડિયો-કૉન્ફરન્સને સંબોધન કરતાં મોદીએ કહ્યું કે ‘અત્યાર સુધીમાં કોવિડ-19 વૅક્સિનના ૧૮ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે તથા દેશના તમામ લોકો જલદીથી રસી મેળવે એ સરકાર સુનિશ્ચિત કરશે. ૧૦૦ વર્ષ પછી આવી મહામારી વિશ્વમાં આવી છે, જે ડગલે ને પગલે વિશ્વની કસોટી કરી રહી છે. આપણી સામે એક અજાણ્યો શત્રુ છે, જે અનેક સ્વરૂપમાં દેખા દઈ રહ્યો છે. કોરોના વાઇરસ સામેની લડતમાં આપણે યુદ્ધના ધોરણે કામ કરીને દરેક અવરોધનો સામનો કરી વિજયી થઈ રહ્યા છીએ.’



કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે વિદેશી સહાયરૂપે કુલ 10,796 ઑક્સિજન-કૉન્સન્ટ્રેટર્સ તેમ જ ૧૨,૨૬૯ ઑક્સિજન સિલિન્ડર્સ, ૧૯ ઑક્સિજન જનરેશન પ્લાન્ટ્સ અને ૪.૨ લાખ રેમડેસિવિર વાયલ્સ અત્યાર સુધીમાં વિવિધ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને પહોંચાડવામાં આવ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2021 01:50 PM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK