Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > NCP પ્રમુખ શરદ પવારે આ મુદ્દે નીતિન ગડકરીની કરી પ્રશંસા, જાણો વિગત

NCP પ્રમુખ શરદ પવારે આ મુદ્દે નીતિન ગડકરીની કરી પ્રશંસા, જાણો વિગત

02 October, 2021 07:34 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના પ્રમુખ શરદ પવારે શનિવારે વિકાસ માટે વીજળીનો અસરકારક ઉપયોગ કરવા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીની પ્રશંસા કરી હતી.

શરદ પવાર (ફાઈલ ફોટો)

શરદ પવાર (ફાઈલ ફોટો)


રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના પ્રમુખ શરદ પવારે શનિવારે વિકાસ માટે વીજળીનો અસરકારક ઉપયોગ કરવા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીની પ્રશંસા કરી હતી. હરીફ પક્ષોના બંને નેતાઓ મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમમાં મંચ પર એકસાથે જોવા મળ્યા હતાં.

 આ પ્રસંગે શરદ પવારે કહ્યું કે, હું આ સમારોહમાં એટલે હાજર રહ્યો એના પાછળનું કારણ કે મને કહેવામાં આવ્યું હતું કે નીતિન ગડકરી અહમદનગરમાં ઘણા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે, જે શહેરના લાંબા સમયથી પડતર પ્રશ્નો હલ કરશે, અને તેઓ ઇચ્છતા હતાં કે હું હાજર રહુ.` એનસીપીના વડાએ કહ્યું કે એકવાર કોઈ પ્રોજેક્ટ માટે ઉજવણી કરવામાં આવે તો ઘણીવાર કંઈ થતું નથી, પરંતુ જ્યારે ગડકરીના પ્રોજેક્ટ્સની વાત આવે છે, ત્યારે ઉજવણીના થોડા દિવસોમાં કામ શરૂ થઈ જાય છે. 



પવારે વધુમાં જણાવ્યું હતું કે, ગડકરી દેશના પ્રતિનિધિ કેવી રીતે દેશના વિકાસ માટે કામ કરી શકે છે તેનું એક ઉત્તમ ઉદાહરણ છે. એનસીપીના વડાએ કહ્યું કે મને યાદ છે કે અગાઉ ગડકરીએ આ જવાબદારી (માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની) સંભાળી હતી, લગભગ 5,000 કિમીનું કામ થઈ ગયું હતું. પરંતુ તેમણે સત્તા સંભાળ્યા બાદ આ આંકડો 12,000 કિમી પાર કરી ગયો છે.


ભૂતપૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવારે આ વિસ્તારના ખેડૂતોને સલાહ આપી હતી કે શેરડીનો ઉપયોગ ખાંડના ઉત્પાદન સુધી મર્યાદિત રહેશે નહીં અને તેઓએ તેને ઇથેનોલ માટે કાચા માલ તરીકે પણ વિચારવું જોઈએ. 

આ પ્રસંગે ગડકરીએ કહ્યું કે, મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં રોડ પ્રોજેક્ટ્સ વખતે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ સ્થાનિક નદીઓ અને પ્રવાહોને પણ સાફ કર્યા હતા. તેમણે કહ્યું કે હું (મહારાષ્ટ્ર ગ્રામીણ વિકાસ મંત્રી) હસન મુશ્રીફને અહેમદનગર જિલ્લામાં જળ સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા વિશે વિચારવાનું સૂચન કરું છું. ગડકરીએ કહ્યું કે નદીઓ અને તળાવોની ઊંડાઈ વધારવાથી ભૂગર્ભજળનું સ્તર વધારવામાં મદદ મળે છે. એનસીપીના નેતા મુશ્રીફ, જે આ જિલ્લાના મંત્રી છે  તે પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

02 October, 2021 07:34 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK