મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ કોરોના સંક્રમિત
ફાઈલ તસવીર
કોરોના વાયરસ (COVID-19)ની ચપેટમાં વધુ એક રાજકારણી આવી ગયા છે. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બાબતની કાણકારી તેમણે ટ્વિટ કરીને આપી હતી.
શિવરાજસિંહ ચૌહાણે શનિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, "મારા પ્રિય દેશવાસીઓ, મારામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. ટેસ્ટ બાદ મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું મારા સાથીઓને અપીલ કરું છું કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાનો રિપોર્ટ કરાવી લે. મારી નજીકના લોકો હૉમ ક્વૉરન્ટીન થઈ જાય."
ADVERTISEMENT
मेरे प्रिय प्रदेशवासियों, मुझे #COVID19 के लक्षण आ रहे थे, टेस्ट के बाद मेरी रिपोर्ट पॉज़िटिव आई है। मेरी सभी साथियों से अपील है कि जो भी मेरे संपर्क में आए हैं, वह अपना कोरोना टेस्ट करवा लें। मेरे निकट संपर्क वाले लोग क्वारन्टीन में चले जाएँ।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 25, 2020
તેમણે વધુ એક ટ્વીટમાં લખ્યું હતું કે, સમયસર સારવાર મળે તો કોરોનાનો દર્દી સાજો થઈ જાય છે. હું 25મી માર્ચથી દરરોજ સાંજે કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા બેઠક કરતો રહ્યો છું. હવે હું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ બેઠક કરવાનો પ્રયાસ કરીશ.
मेरी अनुपस्थिति में अब यह बैठक गृहमंत्री @drnarottammisra, नगरी विकास एवं प्रशासन मंत्री @bhupendrasingho, स्वास्थ्य शिक्षा मंत्री @VishvasSarang और स्वास्थ्य मंत्री @DrPRChoudhary करेंगे। मैं स्वयं भी इलाज के दौरान प्रदेश में #COVID19 नियंत्रण के हरसंभव प्रयास करता रहूंगा।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 25, 2020
અત્યારે ચિરાયુ હૉસ્પિટલમાં સારવાર લહી રહ્યાં છે. શુભેચ્છકોને ધન્યવાદ આપતી ટ્વીટ પણ કરી હતી.
मेरे शुभेच्छुओं ने मेरे लिए जो शुभकामनाएं दी हैं, मैं उसके लिए सभी को धन्यवाद देता हूं।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 25, 2020
जनता का कोई काम बाधित न हो, इसलिए अस्पताल से काम करता रहूंगा।
आप सभी से आग्रह है कि मास्क पहनें, दो गज की दूरी पर रहें और सभी स्वास्थ्य निर्देशों का पालन अवश्य करें।
મધ્ય પ્રદેશ રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ 26,210 કેસ સામે આવ્યા છે. જેમાંથી 17,866 લોકો સારવાર બાદ સાજા થયા છે. શનિવારે જાહેર થયેલા આંકડા મુજબ, રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 507 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાને પગલે અત્યાર સુધી 791 લોકોએ જીવ ગુમાવ્યો છે.