Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આઠ મુસાફરોને લઈને જતા વેહિકલમાં મિનિમમ છ ઍરબૅગ્સ ફરજિયાત બનાવાશે

આઠ મુસાફરોને લઈને જતા વેહિકલમાં મિનિમમ છ ઍરબૅગ્સ ફરજિયાત બનાવાશે

15 January, 2022 12:22 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ ગઈ કાલે આ જાણકારી આપી હતી

નીતિન ગડકરી

નીતિન ગડકરી


કેન્દ્ર સરકારે રોડ-અકસ્માતની સ્થિતિમાં લોકોનો જીવ બચાવવા માટે મહત્ત્વનો એક નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર કાર કંપનીઓ માટે આઠ મુસાફરોની બેસવાની ક્ષમતા ધરાવતા મોટર વેહિકલ્સમાં ઓછામાં ઓછી છ ઍરબૅગ્ઝ પૂરી પાડવી ફરજિયાત બનાવશે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ ગઈ કાલે આ જાણકારી આપી હતી. 
તેમણે સંખ્યાબંધ ટ્વિટ્સમાં જણાવ્યું હતું કે તેમના મંત્રાલયે પહેલાં જ પહેલી જુલાઈ, ૨૦૧૯થી ડ્રાઇવર ઍરબૅગ તેમ જ પહેલી જાન્યુઆરી, ૨૦૨૨થી ફ્રન્ટ કો-પૅસેન્જર માટે ઍરબૅગના ફિટમેન્ટને લાગુ કરવું અનિવાર્ય કર્યું છે.
તેમણે જણાવ્યું હતું કે આઠ મુસાફરોને લઈને જતા મોટર વેહિકલ્સમાં બેસનારી વ્યક્તિઓની સુરક્ષા વધારવા માટે મેં ઓછામાં ઓછી છ ઍરબૅગ્ઝ ફરજિયાત રાખવા માટે જનરલ સ્ટેચ્યુટરી રૂલ્સ નોટિફિકેશનના ડ્રાફ્ટને હવે મંજૂર કર્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

15 January, 2022 12:22 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK