Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નેતાજીને સંબંધિત ફાઇલ્સ મામલે મમતાએ કેન્દ્રની ટીકા કરી

નેતાજીને સંબંધિત ફાઇલ્સ મામલે મમતાએ કેન્દ્રની ટીકા કરી

24 January, 2022 09:05 AM IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મમતા બૅનરજીએ ગઈ કાલે કેન્દ્ર સરકારને સુભાષચન્દ્ર બોઝની જન્મજયંતીને રાષ્ટ્રીય રજા જાહેર કરવાની પણ અપીલ કરી હતી.

મમતા બૅનરજી

મમતા બૅનરજી


પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ કેન્દ્ર સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે ‘આજે પણ નેતાજીની અનેક બાબતો વિશે આપણે જાણતા નથી. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તેઓ જ્યારે સત્તા પર આવશે ત્યારે તેઓ એના પર કામ કરશે, પરંતુ કંઈ પણ થયું નથી. વાસ્તવમાં રાજ્ય સરકારે નેતાજી બોઝ વિશેની તમામ ફાઇલ્સને જાહેર કરી છે.’
નેતાજીના નિધનનો વિવાદ પશ્ચિમ બંગાળમાં લાગણીનો મુદ્દો છે. અનેક લોકો માને છે કે ૧૯૪૫માં પ્લેન ક્રેશમાં તેમનું નિધન થયું નહોતું. કેન્દ્ર સરકારે ૨૦૧૭માં રાઇટ ટુ ઇન્ફર્મેશન અૅક્ટ હેઠળની ક્વેરીના જવાબમાં કન્ફર્મ કર્યું હતું કે સુભાષચંદ્ર બોઝનું ૧૯૪૫ની ૧૮ ઑગસ્ટે તાઇપેઇમાં પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. મમતા બૅનરજીએ ગઈ કાલે કેન્દ્ર સરકારને સુભાષચન્દ્ર બોઝની જન્મજયંતીને રાષ્ટ્રીય રજા જાહેર કરવાની પણ અપીલ કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

24 January, 2022 09:05 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK