પાર્ટીના એક નેતાએ જણાવ્યું હતું કે, 71 વર્ષીય રણપિસેને થોડા દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો
પ્રતિકાત્મક તસવીર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં પક્ષના જૂથ નેતા શરદ રણપિસેનું ગુરુવારે એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે.
પાર્ટીના એક નેતાએ જણાવ્યું હતું કે, 71 વર્ષીય રણપિસેને થોડા દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
મહારાષ્ટ્ર કોંગ્રેસે ટ્વિટ કરી તેમને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે “કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાન પરિષદના જૂથ નેતા શરદ રણપિસેના નિધનથી કોંગ્રેસ પક્ષને ભારે ફટકો પડ્યો છે. કોંગ્રેસે એક અભ્યાસુ વ્યક્તિત્વ ગુમાવ્યું છે. તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.”
काँग्रेसचे ज्येष्ठ नेते व विधानपरिषदेचे गटनेते आमदार शरद रणपिसे यांच्या निधनाने काँग्रेस पक्षाची मोठी हानी झाली असून एक अभ्यासू व्यक्तीमत्व हरपले आहे. त्यांना भावपूर्ण श्रद्धांजली.
— Maharashtra Congress (@INCMaharashtra) September 23, 2021
काँग्रेस पक्ष त्यांच्या कुटुंबियांच्या दुःखात सहभागी आहे! pic.twitter.com/y0iycbNqCB
ઉલ્લેખનીય છે કે રણપિસે પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર અને જિલ્લાના પાર્વતી મતવિસ્તારમાંથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતા. તેઓ એમએલસી અને રાજ્ય વિધાન પરિષદમાં કોંગ્રેસ જૂથ નેતા હતા.