Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Maharashtra : મરાઠવાડામાં ભારે વરસાદ બાદ 10 લોકોનાં મોત

Maharashtra : મરાઠવાડામાં ભારે વરસાદ બાદ 10 લોકોનાં મોત

28 September, 2021 07:12 PM IST | Aurangabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ આઠ જિલ્લાઓ હેઠળ આવતા 180થી વધુ વર્તુળોમાં વધુ પડતો વરસાદ (65 મીમીથી વધુ) નોંધાયો હતો, એમ વિભાગીય કમિશનર કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા એક પ્રકાશનમાં જણાવાયું છે.

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


મહારાષ્ટ્રના મરાઠાવાડા (Marathwada) વિસ્તારમાં છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદ અને પૂરમાં દસ લોકોના મોત થયા હોવાનું અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું.

આ ઉપરાંત ઔરંગાબાદ, લાતુર, ઉસ્માનાબાદ, પરભણી, નાંદેડ, બીડ, જાલના અને હિંગોલી એમ આઠ જિલ્લાઓનો સમાવેશ કરતા આ વિસ્તારમાં 200થી વધુ પશુઓ પાણીમાં લાપતા થયા છે અને સંખ્યાબંધ મકાનોને પણ નુકસાન થયું હતું.



આ આઠ જિલ્લાઓ હેઠળ આવતા 180થી વધુ વર્તુળોમાં વધુ પડતો વરસાદ (65 મીમીથી વધુ) નોંધાયો હતો, એમ વિભાગીય કમિશનર કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા એક પ્રકાશનમાં જણાવાયું છે.


ભારે વરસાદને કારણે સત્તાવાળાઓને પાણીને બહાર કાઢવા માટે વિવિધ ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી, જેના કારણે બીડ અને લાતુર જિલ્લાઓમાં માંજરા નદીના કાંઠે આવેલા ગામોમાં પૂર આવ્યું હતું.

છેલ્લા 48 કલાકમાં, પ્રદેશના છ જિલ્લામાંથી 10 મૃત્યુ નોંધાયા છે, જેમાં બીડમાં ત્રણ, ઉસ્માનબાદ અને પરભણીમાં બે-બે અને જાલના, નાંદેડ અને લાતુરમાં એક-એકનો સમાવેશ થાય છે.


ઔરંગાબાદ અને હિંગોલીમાં મંગળવારે બપોર સુધી કોઈ જાનહાનિ થઈ નથી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

છેલ્લા બે દિવસોમાં ભારે વરસાદમાં 60 દુધાળા પશુઓ સહિત કુલ 205 પશુઓ ખોવાઈ ગયા હતા.

આ ઉપરાંત, પ્રદેશમાં ભારે વરસાદને કારણે 25 કાચ્ચા સહિત 28 મકાનોને પણ નુકસાન થયું છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે ક્ષતિગ્રસ્ત મકાનોમાં 11 ઔરંગાબાદમાં, 12 બીડમાં અને પાંચ જાલાનામાં હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, સમગ્ર મરાઠાવાડા વિસ્તારમાં ભારે વરસાદને કારણે તબાહી મચી ગઈ છે અને ઘણા વિસ્તારોમાં પૂર આવ્યું છે.

તેઓએ જણાવ્યું હતું કે ભારે વરસાદ અને પૂરના કારણે આ ક્ષેત્રની અનેક એકર ખેતીની જમીનમાં પાકને નુકસાન થયું છે.

રાજ્યના જળ સંસાધન મંત્રી જયંત પાટિલે બીડમાં પત્રકારોને જણાવ્યું હતું કે “ગઈકાલથી જળ સંસાધન વિભાગ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. અમે નુકસાન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”

તેમણે કહ્યું કે વહીવટી તંત્ર  લોકોને તમામ શક્ય રાહત આપશે.

Whatsapp-channel Whatsapp-channel

28 September, 2021 07:12 PM IST | Aurangabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK