40 લાખ ટ્રેકટર લઈને સંસદને ઘેરશે ખેડૂતો: ટિકૈત
રાકેશ ટિકૈત
કૃષિ કાયદો પાછો નહીં ખેંચાય તો ૪૦ લાખ ટ્રેક્ટર સાથે ‘સંસદ માર્ચ’ કરીશું એવી ચેતવણી સીકરની મહાપંચાયતમાં આપતાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે જો કેન્દ્ર સરકારે કૃષિ કાયદાને પાછો નહીં ખેંચ્યો તો હવે સંસદનો ઘેરાવ કરવાનું આહવાન કરવામાં આવશે અને આ વખતે ૪ નહીં પરંતુ ૪૦ લાખ ટ્રેક્ટર હશે. રાજસ્થાનના સીકર જિલ્લામાં સંયુક્ત ખેડૂત મોર્ચાની ખેડૂત મહાપંચાયતને સંબોધિત કરતાં રાકેશ ટિકૈતે કહ્યું હતું કે દિલ્હીવાળાઓ કાન ખોલીને સાંભળી લે, હવે ખેડૂતો પણ એ જ છે અને ટ્રેક્ટર પણ એ જ હશે, પરંતુ હવે આહવાન સંસદનું કરવામાં આવશે અને આ વખતે ચાર નહીં પરંતુ ૪૦ લાખ ટ્રેક્ટર જશે.