Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેજરીવાલે પીએમ મોદીને લખ્યો પત્ર, કહ્યું આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધ લાદો

કેજરીવાલે પીએમ મોદીને લખ્યો પત્ર, કહ્યું આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધ લાદો

28 November, 2021 06:21 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી કે નોવેલ કોરોના વાયરસ નવા સાવરૂપે ફાટી નીકળતાં અસરગ્રસ્ત દેશોમાંથી ભારતની ફ્લાઇટ્સ તાત્કાલિક અસરથી પ્રતિબંધિત મૂકવામાં આવવો જોઈએ.

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી કે નોવેલ કોરોના વાયરસ નવા સાવરૂપે ફાટી નીકળતાં અસરગ્રસ્ત દેશોમાંથી ભારતની ફ્લાઇટ્સ તાત્કાલિક અસરથી પ્રતિબંધિત મૂકવામાં આવવો જોઈએ.

વડા પ્રધાનને મોકલવામાં આવેલા પત્રમાં કેજરીવાલે લખ્યું છે કે “આપણા દેશે છેલ્લા દોઢ વર્ષમાં કોરોના વાયરસ સામે મુશ્કેલ યુદ્ધ લડ્યું છે. ઘણી મુશ્કેલીઓ પછી અને આપણા લાખો કોવિડ યોદ્ધાઓની નિ:સ્વાર્થ સેવાના કારણે આપણો દેશ કોરોના વાયરસને હરાવવામાં સફળ થયો છે.



તેમણે પત્રમાં લખ્યું “આપણે WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) દ્વારા તાજેતરમાં શોધાયેલ આ નવી ચિંતાજનક પેટર્નને ભારતમાં પ્રવેશતા અટકાવવા માટે તમામ સંભવિત પગલાં લેવા જોઈએ... તાત્કાલિક અસરથી આવનારી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. જો કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિ ભારત આવે છે, તો આ સંબંધમાં કોઈપણ વિલંબ જીવલેણ સાબિત થઈ શકે છે.



યુરોપિયન યુનિયનના સભ્યો સહિત ઘણા દેશોએ કોવિડ-19ના નવા સ્વરૂપ ઓમિક્રોનથી પ્રભાવિત વિસ્તારો પર મુસાફરી પ્રતિબંધો લાદી દીધા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ‘ઓમિક્રોન’ પર વિશ્વવ્યાપી ચિંતાઓને ધ્યાનમાં રાખીને “સક્રિય અભિગમ” લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને અધિકારીઓને સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય મુસાફરી પ્રતિબંધોને હળવા કરવાની યોજનાઓની સમીક્ષા કરવા જણાવ્યું હતું.

વડા પ્રધાને લોકોને અત્યંત જાગૃત રહેવા અને માસ્ક પહેરવા અને યોગ્ય અંતર સહિત અન્ય તમામ નિવારક પગલાંઓનું પાલન કરવાની પણ અપીલ કરી હતી. દેશમાં કોવિડ-19ની સ્થિતિ અને ચાલી રહેલા રસીકરણ અભિયાનની સમીક્ષા કરવા વડા પ્રધાને ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી.

લગભગ બે કલાક સુધી ચાલેલી મીટિંગ દરમિયાન, અધિકારીઓએ વડા પ્રધાનને “ચિંતાનો વિષય” અને તેની પ્રકૃતિ, વિવિધ દેશોમાં તેની અસર અને ભારત પર તેની અસર તેમ જ તેની સંભવિત અસરો વિશે ચર્ચા કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

28 November, 2021 06:21 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK